February 10, 2025
ગુજરાતરાજકારણ

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

 

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાનેથી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી. આ જળયાત્રામાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ ૧૦૮ કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમા સહભાગી થયા હતા.

રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ઘાનું પ્રતિક છે ત્યારે કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર ધાર્મિક આસ્થા અને ભકતોની લાગણીઓની સાથે સાથે આજે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે નિૅંશૂલ્ક કોરોના રસીકરણ અને પોલીસ જવાનો માટે ટેલીમેડિસીનની સેવા શરૂ કરાઇ હતી જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિ-સંગમ જોવા મળ્યું.

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઇ રહેલ કોરોના રસીકરણની કામગીરી અને ટેલીમેડિસીન સેવાનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાગ મેળવ્યો હતો

Related posts

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

કુબેરનગરમાં કેવિન નામનું બાળક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે,સારવાર માટે સમાજ પાસે માંગી મદદ

Ahmedabad Samay

બનાસકાંઠા: વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવા ભરઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો