February 5, 2026
ગુજરાત

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

દેશની સૌથી મોટી સમસ્યા લવ જેહાદ અને જીવદયા માટે કામ કરનાર ક્રાંતિકારી જૈન સાધુ પૂ.નિલેશચંદ્ર વિજયજી મહારાજ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા. અખિલ ભારતીય જૈન પત્રકાર સંઘના રાષ્ટ્રીય સ્થાપક પ્રમુખ હાર્દિક ના હસ્તે જૈન અજૈન મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સંતનું બિરુદ સ્મૃતિ પત્ર રૂપે આપવામાં આવ્યું હતું.

મોહન ખેડાના પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય શ્રી ઋષભ વિજયજી મહારાજના શિષ્ય શ્રી મુનિ શ્રી નિલેશચંદ્ર વિજયજી અને મુનિ શ્રી વિશ્વભૂષણ વિજયજી મહારાજ, શ્રી શાંતિનાથજી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ડિલાઈ રોડ ખાતે ચાતુર્માસ કરવા પધાર્યા છે. મુનિ શ્રી નિલેશચંદ્ર વિજયજીએ જણાવ્યું કે આજે સમાજમાં એકતા લાવવાની ખૂબ જ જરૂર છે.

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ અને અમે તે કરીશું. સંતને રાષ્ટ્રીય સંતની ઉપાધિની જરૂર નથી પરંતુ આ સંઘના આશીર્વાદ છે. હું હાર્દિક હુંડિયા અને સંઘના તમામ લોકોને વિનંતી કરું છું કે હવે આપણે બધાએ એક થઈને આ દેશમાં લવ જેહાદ અને નિર્દોષ પ્રાણીઓની હત્યા બંધ કરાવવી જોઈએ, આપણે સૌ સાથે મળીને આ સમસ્યા નો રસ્તો કાઢીશું અને આ વસ્તુ થવી જ ના જોઈએ.

આ શુભ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી શ્રી ધર્મપ્રકાશ દાસજીએ પણ પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કર્યા હતા. સેવા ફાઉન્ડેશનના રમેશ જૈન, નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો મહારાષ્ટ્રના જોઈન્ટ ડાયરેક્ટર દેવેન્દ્ર વખારિયા, પૂણેથી વરિષ્ઠ સામાજિક કાર્યકર કિશોર ભંડારી, યુનિયનના પ્રમુખ મદન કોઠારી, ઉદ્યોગપતિ મુકેશ મુથલિયા, અરિહંત ગ્રુપના દિનેશ ચૌહાણ, રાજકારણીઓ પ્રકાશ ચોપરા, રાકેશ નાહર, ભારતના અચલગચ્છ સંઘ નાં મંગલ શેઠ, વિશ્વ હિન્દુ પરિષદના દિનેશ જૈન, ખેતલાજીના પ્રખર ભક્ત પ્રવીણ જૈન, કિશોર રામાણી, લલિત શાહ તેમજ પ્રખ્યાત ગાયક અરવિંદ જૈને સૌને ભક્તિમાં મંત્રમુગ્ધ કર્યા હતા.

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા હતા. હાર્દિક હુંડિયાએ કહ્યું કે આટલી નાની ઉંમરમાં દેશ અને ધર્મ પ્રત્યેના અમૂલ્ય કાર્ય માટે રાષ્ટ્ર સંતનું બિરુદ મેળવનાર તે પ્રથમ સંત છે.

Related posts

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો