March 23, 2026
મનોરંજન

ગુજરાતની ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન

New up 01

“ગુજરાતની ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન થયુ છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમા શોકનુ મોજુ ફરી વળ્યું છે. જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો.

આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે.

અરવિંદ રાઠોડ સાથે દસ ફિલ્મોમા સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યુ કે, અમે 10 ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉમદા કલાકાર હતા. તેઓ અન્ય કલાકારોને પણ હંમેશા મદદગાર રહેતા. તેમના નિધનથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે.

અરવિંદ રાઠોડની ફિલ્મોગ્રાફી

જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નગારા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે”

Related posts

લગ્ન પછી કિયારા અડવાણીએ બતાવ્યો સૌથી બોલ્ડ અવતાર, એવી જગ્યાએથી કપડાં ગાયબ હતા કે સિદ્ધાર્થ પણ નશામાં આવી જશે!

admin

Deepika Padukone Good News: દીપિકા પાદુકોણના ઘરે આવ્યા સારા સમાચાર, રણવીર સિંહ થશે ખુશ! ચાહકો અભિનંદન આપી રહ્યા છે

Ahmedabad Samay

Tridha Choudhary: ‘આશ્રમ’ની ‘બબીતા’એ બ્લેક ટૂ-પીસમાં આપ્યા એક કરતાં વધુ બોલ્ડ પોઝ, લોકોએ ખરાબ રીતે ટ્રોલ કરી!

Ahmedabad Samay

આશ્રમની ત્રીજી સિરીઝનું શૂટિંગ શરૂ

Ahmedabad Samay

સોનાક્ષી સિન્હાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરીને જાણકારી આપી કે તેણે સગાઈ કરી લીધી છે

Ahmedabad Samay

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો