February 5, 2026
ધર્મ

આજે છે શનિશ્ચરી અમાસ, આટલુ કરો દોષ માંથી થશે મુક્તિ

જાણો શનિશ્ચરી અમાસની મહિમા જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.

શનિશ્વરી અમાસના દિવસે શનિ મહારાજના મંદિરે જઈને વિશેષ પૂજા કરવી જોઈએ. તેનાથી મનુષ્યના બધા જ અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. મિત્રો અમાસના દિવસે કયા શુભ કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ.

મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં અમાસની તિથિ નું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અમાસની તિથિ ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી અને પિતૃ દેવને સમર્પિત કરવામાં આવી છે.

અમાસના દિવસે સ્નાન દાન અને તર્પણ કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે વિશેષ પૂજા કરવાથી પિતૃઓને શાંતિ અને મુક્તિ મળે છે.

આજે શનિવારના દિવસે અમાવસ્યા છે. જેથી કરીને તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. શનિશ્ચરી અમાસ નુ શાસ્ત્રો ની અંદર ખૂબ જ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો અમાસના દિવસે શનિ મહારાજની વિશેષ કરીને પૂજા કરવામાં આવે છે.

અમાવસ્યાના દિવસે શનિ મહારાજની પૂજા કરવાથી જન્મકુંડળીમાં રહેલા શનિ દોષ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે શનિદેવ વ્યક્તિના કર્મ પ્રમાણે ન્યાય કરતા હોય છે.

Related posts

મહાકુંભમાં આત્મા પ્રેમ ગિરી બાબા તેમના ચહેરાના તેજ અને ૭ ફૂટ ઊંચાઈ વાળી પોતાની ફિટ બોડીના કારણે આકર્ષકનું કેન્દ્ર બન્યા

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિફળઃ સપ્તાહની શરૂઆત થશે ખાસ સંયોગ, આ રાશિના લોકોને મળશે બમ્પર લાભ!

Ahmedabad Samay

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

Ahmedabad Samay

વાસ્તુશાસ્ત્ર: જીવનમાં પરેશાનીઓ લાવી શકે છે વિખરાયેલા વીજળીના તાર, ઘરથી લઈને ઓફિસ સુધી પડે છે ખરાબ અસર

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો