March 25, 2026
ધર્મ

આજે છે શનિશ્ચરી અમાસ, આટલુ કરો દોષ માંથી થશે મુક્તિ

જાણો શનિશ્ચરી અમાસની મહિમા જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.

શનિશ્વરી અમાસના દિવસે શનિ મહારાજના મંદિરે જઈને વિશેષ પૂજા કરવી જોઈએ. તેનાથી મનુષ્યના બધા જ અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. મિત્રો અમાસના દિવસે કયા શુભ કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ.

મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં અમાસની તિથિ નું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અમાસની તિથિ ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી અને પિતૃ દેવને સમર્પિત કરવામાં આવી છે.

અમાસના દિવસે સ્નાન દાન અને તર્પણ કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે વિશેષ પૂજા કરવાથી પિતૃઓને શાંતિ અને મુક્તિ મળે છે.

આજે શનિવારના દિવસે અમાવસ્યા છે. જેથી કરીને તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. શનિશ્ચરી અમાસ નુ શાસ્ત્રો ની અંદર ખૂબ જ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો અમાસના દિવસે શનિ મહારાજની વિશેષ કરીને પૂજા કરવામાં આવે છે.

અમાવસ્યાના દિવસે શનિ મહારાજની પૂજા કરવાથી જન્મકુંડળીમાં રહેલા શનિ દોષ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે શનિદેવ વ્યક્તિના કર્મ પ્રમાણે ન્યાય કરતા હોય છે.

Related posts

27 મે 2023નું પંચાંગ: જાણો શનિવારનું પંચાંગ, રાહુકાલ, શુભ મુહૂર્ત અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

આ 4 રાશિના લોકો 3 મહિના માટે ઘણો ખર્ચ કરશે, તેમને મળશે અમર્યાદિત પૈસા; આ છે મુખ્ય કારણ

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

આ રાશિની છોકરીઓ જોવામાં ખૂબ જ આકર્ષક હોય છે, તેઓ તમને પહેલી જ મુલાકાતમાં દિવાના બનાવી દે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો