February 5, 2026
ગુજરાત

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા અગાઉ ખલાસીઓ સહિત 139 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સંતોએ લોકોને ઘરે રહી માધ્યમો દ્વારા રથયાત્રાનાં દર્શન કરવા અપીલ કરી છે.

એક રથને 40 ખલાસીઓ ખેચશે. કુલ 120 ખલાસીભાઇઓ ભગવાનને નગરચર્યા કરાવશે. 20-20 ખલાસીઓ નિજ મંદિરથી રથ ખેચશે જ્યારે અન્ય 20-20 ખલાસીઓ મામાના ઘર સરસપુરથી જોડાશે.

રથયાત્રાને પગલે આ ખલાસીભાઈઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ખલાસીઓ ભગવાનના રથ ખેંચવા આતુર છે. આ ખલાસીઓની ઉંમર લગભગ 22થી 50 વર્ષની છે. કોઈ ખલાસીઓ 10 વર્ષથી તો કોઈ ખલાસીઓ 25-30 વર્ષથી ભગવાનના રથ ખેંચે છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે પણ ખલાસીઓમાં ભગવાનના રથ ખેંચવાનો એટલો જ ઉત્સાહ જોવા મળે છે.”

Related posts

કલ્યાણપુર,ભરત્તારપુરા ગામ ના રહિશો વડે જોગણી માતા મંદિર, ભાર્ગવ રોડ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ

Ahmedabad Samay

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

Ahmedabad Samay

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો