May 9, 2026
ગુજરાત

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા અગાઉ ખલાસીઓ સહિત 139 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સંતોએ લોકોને ઘરે રહી માધ્યમો દ્વારા રથયાત્રાનાં દર્શન કરવા અપીલ કરી છે.

એક રથને 40 ખલાસીઓ ખેચશે. કુલ 120 ખલાસીભાઇઓ ભગવાનને નગરચર્યા કરાવશે. 20-20 ખલાસીઓ નિજ મંદિરથી રથ ખેચશે જ્યારે અન્ય 20-20 ખલાસીઓ મામાના ઘર સરસપુરથી જોડાશે.

રથયાત્રાને પગલે આ ખલાસીભાઈઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ખલાસીઓ ભગવાનના રથ ખેંચવા આતુર છે. આ ખલાસીઓની ઉંમર લગભગ 22થી 50 વર્ષની છે. કોઈ ખલાસીઓ 10 વર્ષથી તો કોઈ ખલાસીઓ 25-30 વર્ષથી ભગવાનના રથ ખેંચે છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે પણ ખલાસીઓમાં ભગવાનના રથ ખેંચવાનો એટલો જ ઉત્સાહ જોવા મળે છે.”

Related posts

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો