June 8, 2026
ગુજરાત

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા અગાઉ ખલાસીઓ સહિત 139 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સંતોએ લોકોને ઘરે રહી માધ્યમો દ્વારા રથયાત્રાનાં દર્શન કરવા અપીલ કરી છે.

એક રથને 40 ખલાસીઓ ખેચશે. કુલ 120 ખલાસીભાઇઓ ભગવાનને નગરચર્યા કરાવશે. 20-20 ખલાસીઓ નિજ મંદિરથી રથ ખેચશે જ્યારે અન્ય 20-20 ખલાસીઓ મામાના ઘર સરસપુરથી જોડાશે.

રથયાત્રાને પગલે આ ખલાસીભાઈઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ખલાસીઓ ભગવાનના રથ ખેંચવા આતુર છે. આ ખલાસીઓની ઉંમર લગભગ 22થી 50 વર્ષની છે. કોઈ ખલાસીઓ 10 વર્ષથી તો કોઈ ખલાસીઓ 25-30 વર્ષથી ભગવાનના રથ ખેંચે છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે પણ ખલાસીઓમાં ભગવાનના રથ ખેંચવાનો એટલો જ ઉત્સાહ જોવા મળે છે.”

Related posts

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો