March 23, 2026
દેશ

શ્રીનગરનાં લાલચોક પર આજે શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરી જન્માષ્ટમી ઉજવાઇ

આજે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. શ્રીનગરની સડકો પર આ પર્વ પર હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી અને કાશ્મીરી પંડિતોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

લાલચોકમાં કૃષ્ણ ભક્તિનાં દર્શન થયા

શ્રીનગરનાં શહેરમાં લાલચોક પર જ આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયનાં લોકોએ પણ ભાગ લીધો હતો. કાશ્મીરી પંડિતોએ આ શોભાયાત્રામાં પોતાનું પારંપરિક નૃત્ય પણ કર્યું હતું. હાથમાં ઢોલક અને ઘંટડી લઈને સૌ કોઈ કાનુડાની ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળ્યા હતા.

કાશ્મીરી પંડિતો ખુશખુશાલ

શ્રીનગરનાં હબ્બા કડલમાં આવેલ કટલેશ્વર મંદિરથી આ યાત્રા કાઢવામાં આવી હતી અને શ્રીનગરનાં મુખ્ય રસ્તાઓથી થઈને યાત્રા લાલચોક સુધી પહોંચી હતી. ઘણા વર્ષો બાદ કાશ્મીરમાં આવી યાત્રા જોવા મળી હતી જેમાં કાશ્મીરી સમુદાયનાં લોકોએ આટલી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ભાગ લીધો હોય.

વર્ષો બાદ ફરી યાત્રામાં રોનક દેખાઈ

કાશ્મીરી પંડિત સમુદાયનાં લોકોએ કહ્યું આ યાત્રા પહેલા પણ કાઢવામાં આવી હતી પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ થઈ અને તે બાદ કોરોના વાયરસ કાળ આવી જતાં યાત્રાનું આયોજન થઈ ન શક્યું હતું ત્યારે આજે ફરી એક વાર યાત્રા કઢાઈ હતી.

યાત્રા દરમિયાન કડક સુરક્ષા આપવામાં આવી

નોંધનીય છે કે કાશ્મીરમાં રમખાણો અને નરસંહાર બાદ વર્ષો સુધી યાત્રા થઈ શકી ન હતી તે બાદ 2004માં પહેલીવાર શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી. જોકે થોડા વર્ષથી ફરીથી યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. આ વર્ષે કડક સુરક્ષા સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

Xiaomiએ સ્માર્ટફોનની રેન્જ વધારતા નવા હેન્ડસેટ Xiaomi 11 Lite NE 5G ને લોન્ચ કર્યો, જાણો તેના બેસ્ટ ફીચર્સ વિશે.

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

Ahmedabad Samay

કોરોના ની ચેન તોડવા ૧૪ દિવસનું લોકડાઉન જરૂરી

Ahmedabad Samay

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ) ને DGCA ની મંજૂરી

Ahmedabad Samay

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો