July 9, 2026
દેશ

શ્રીનગરનાં લાલચોક પર આજે શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરી જન્માષ્ટમી ઉજવાઇ

આજે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. શ્રીનગરની સડકો પર આ પર્વ પર હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી અને કાશ્મીરી પંડિતોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

લાલચોકમાં કૃષ્ણ ભક્તિનાં દર્શન થયા

શ્રીનગરનાં શહેરમાં લાલચોક પર જ આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયનાં લોકોએ પણ ભાગ લીધો હતો. કાશ્મીરી પંડિતોએ આ શોભાયાત્રામાં પોતાનું પારંપરિક નૃત્ય પણ કર્યું હતું. હાથમાં ઢોલક અને ઘંટડી લઈને સૌ કોઈ કાનુડાની ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળ્યા હતા.

કાશ્મીરી પંડિતો ખુશખુશાલ

શ્રીનગરનાં હબ્બા કડલમાં આવેલ કટલેશ્વર મંદિરથી આ યાત્રા કાઢવામાં આવી હતી અને શ્રીનગરનાં મુખ્ય રસ્તાઓથી થઈને યાત્રા લાલચોક સુધી પહોંચી હતી. ઘણા વર્ષો બાદ કાશ્મીરમાં આવી યાત્રા જોવા મળી હતી જેમાં કાશ્મીરી સમુદાયનાં લોકોએ આટલી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ભાગ લીધો હોય.

વર્ષો બાદ ફરી યાત્રામાં રોનક દેખાઈ

કાશ્મીરી પંડિત સમુદાયનાં લોકોએ કહ્યું આ યાત્રા પહેલા પણ કાઢવામાં આવી હતી પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ થઈ અને તે બાદ કોરોના વાયરસ કાળ આવી જતાં યાત્રાનું આયોજન થઈ ન શક્યું હતું ત્યારે આજે ફરી એક વાર યાત્રા કઢાઈ હતી.

યાત્રા દરમિયાન કડક સુરક્ષા આપવામાં આવી

નોંધનીય છે કે કાશ્મીરમાં રમખાણો અને નરસંહાર બાદ વર્ષો સુધી યાત્રા થઈ શકી ન હતી તે બાદ 2004માં પહેલીવાર શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી. જોકે થોડા વર્ષથી ફરીથી યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. આ વર્ષે કડક સુરક્ષા સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

દિલ્લી બાદ રાજસ્થાનમાં પણ લોકડાઉન

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે ૩૨ વર્ષીય હરીશ રાણાને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપી

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

બદલો તો આને કહેવાય,કુતરાઓએ વાંદરાના બચ્ચા ને માર્યું તો વંદરાઓ કુતરાના ૨૫૦ જેટલા બચ્ચાને માર્યા

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

સુપર સ્‍વચ્‍છ લીગમાં ઇન્‍દોરને પ્રથમ ક્રમે, બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઇ છે,૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરમાં અમદાવાદ પ્રથમ શહેર બન્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો