January 19, 2025
દેશ

શ્રીનગરનાં લાલચોક પર આજે શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરી જન્માષ્ટમી ઉજવાઇ

આજે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. શ્રીનગરની સડકો પર આ પર્વ પર હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી અને કાશ્મીરી પંડિતોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.

લાલચોકમાં કૃષ્ણ ભક્તિનાં દર્શન થયા

શ્રીનગરનાં શહેરમાં લાલચોક પર જ આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયનાં લોકોએ પણ ભાગ લીધો હતો. કાશ્મીરી પંડિતોએ આ શોભાયાત્રામાં પોતાનું પારંપરિક નૃત્ય પણ કર્યું હતું. હાથમાં ઢોલક અને ઘંટડી લઈને સૌ કોઈ કાનુડાની ભક્તિમાં લીન થઈ ગયેલા જોવા મળ્યા હતા.

કાશ્મીરી પંડિતો ખુશખુશાલ

શ્રીનગરનાં હબ્બા કડલમાં આવેલ કટલેશ્વર મંદિરથી આ યાત્રા કાઢવામાં આવી હતી અને શ્રીનગરનાં મુખ્ય રસ્તાઓથી થઈને યાત્રા લાલચોક સુધી પહોંચી હતી. ઘણા વર્ષો બાદ કાશ્મીરમાં આવી યાત્રા જોવા મળી હતી જેમાં કાશ્મીરી સમુદાયનાં લોકોએ આટલી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ભાગ લીધો હોય.

વર્ષો બાદ ફરી યાત્રામાં રોનક દેખાઈ

કાશ્મીરી પંડિત સમુદાયનાં લોકોએ કહ્યું આ યાત્રા પહેલા પણ કાઢવામાં આવી હતી પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ થઈ અને તે બાદ કોરોના વાયરસ કાળ આવી જતાં યાત્રાનું આયોજન થઈ ન શક્યું હતું ત્યારે આજે ફરી એક વાર યાત્રા કઢાઈ હતી.

યાત્રા દરમિયાન કડક સુરક્ષા આપવામાં આવી

નોંધનીય છે કે કાશ્મીરમાં રમખાણો અને નરસંહાર બાદ વર્ષો સુધી યાત્રા થઈ શકી ન હતી તે બાદ 2004માં પહેલીવાર શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી. જોકે થોડા વર્ષથી ફરીથી યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. આ વર્ષે કડક સુરક્ષા સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

કોવિડ-૧૯ ના કારણે રિયો ટેનિસ ટૂર્નામેન્ટ રદ

Ahmedabad Samay

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી

Ahmedabad Samay

દેશમાં પ્રથમવાર રાજસ્થાનમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન શરૂ

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો