March 23, 2026
દેશ

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

“જો મહિલા પતિના મૃત્યુ બાદ ફરીથી લગ્ન કરે તો કાયદા મુજબ મૃત પતિના સંપતિ પરથી તેના અધિકારો જતા રહે છે. જોકે તે માટે પુનઃલગ્નના પૂરતા પૂરાવા હોવા જોઇએ તેમ છત્તીસગઢ હાઇકોર્ટે નોંધ્યું છે. જસ્ટિસ સંજય કે અગ્રવાલે તાજેતરના એક આદેશમાં આ તારણ કાઢ્યું હતું.

તેણે મૃત પતિના ભાઇ લોકનાથ દ્વારા કિયા બાઇ સામે કરાયેલી પ્રોપર્ટીના વિવાદને લગતી એક અરજી નકારી દીધી હતી. લોકનાથે દાવો કર્યો હતો કે મહિલાએ સ્થાનિક રીતિરિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા હતા.  આદેશમાં ઉમેરાયું છે કે ‘હિન્દુ વિડોઝ રિમેરિજ એકટ ૧૮૫૬ની કલમ ૬ મુજબ ફરીથી લગ્નના કિસ્સામાં લગ્ન માટેની તમામ ઔપચારિકતાઓને સાબિત કરવાની જરૂર છે.

માન્ય પુનઃલગ્નની અસર એ છે કે તે મહિલા અગાઉના પતિ પાસેથી વારસામાં મળેલી સંપત્તિમાં તેનો હક્ક ગુમાવી દે છે.

આથી જયારે પણ પુનઃલગ્નને એક સંરક્ષણ તરીકે મુકવામાં આવે ત્યારે તેના આકરા પરિણામોને જોતાં તેની આકરીરીતે સાબિતી થવી જોઇએ કેમ કે તેના પરિણામોમાં તે મહિલાનો મિલ્કત પરનો અધિકાર જતો રહેવાનો છે.’ ક્રિયાના પતિ ઘાસીની મિલ્કતની વહેંચણીના વિવાદને લગતો આદેશ હતો. તેઓ રાજયના રાયગઢ જિલ્લામાં ચિચોર ઉમેરિયા ગામ ખાતે ૧૯૪૨માં મૃત્યુ પામ્યા હતા.”

New up 01

Related posts

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

Ahmedabad Samay

સંસદમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાની આજે થઇ શાનદાર જીત,ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.

Ahmedabad Samay

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો