March 25, 2025
દેશ

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

“જો મહિલા પતિના મૃત્યુ બાદ ફરીથી લગ્ન કરે તો કાયદા મુજબ મૃત પતિના સંપતિ પરથી તેના અધિકારો જતા રહે છે. જોકે તે માટે પુનઃલગ્નના પૂરતા પૂરાવા હોવા જોઇએ તેમ છત્તીસગઢ હાઇકોર્ટે નોંધ્યું છે. જસ્ટિસ સંજય કે અગ્રવાલે તાજેતરના એક આદેશમાં આ તારણ કાઢ્યું હતું.

તેણે મૃત પતિના ભાઇ લોકનાથ દ્વારા કિયા બાઇ સામે કરાયેલી પ્રોપર્ટીના વિવાદને લગતી એક અરજી નકારી દીધી હતી. લોકનાથે દાવો કર્યો હતો કે મહિલાએ સ્થાનિક રીતિરિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા હતા.  આદેશમાં ઉમેરાયું છે કે ‘હિન્દુ વિડોઝ રિમેરિજ એકટ ૧૮૫૬ની કલમ ૬ મુજબ ફરીથી લગ્નના કિસ્સામાં લગ્ન માટેની તમામ ઔપચારિકતાઓને સાબિત કરવાની જરૂર છે.

માન્ય પુનઃલગ્નની અસર એ છે કે તે મહિલા અગાઉના પતિ પાસેથી વારસામાં મળેલી સંપત્તિમાં તેનો હક્ક ગુમાવી દે છે.

આથી જયારે પણ પુનઃલગ્નને એક સંરક્ષણ તરીકે મુકવામાં આવે ત્યારે તેના આકરા પરિણામોને જોતાં તેની આકરીરીતે સાબિતી થવી જોઇએ કેમ કે તેના પરિણામોમાં તે મહિલાનો મિલ્કત પરનો અધિકાર જતો રહેવાનો છે.’ ક્રિયાના પતિ ઘાસીની મિલ્કતની વહેંચણીના વિવાદને લગતો આદેશ હતો. તેઓ રાજયના રાયગઢ જિલ્લામાં ચિચોર ઉમેરિયા ગામ ખાતે ૧૯૪૨માં મૃત્યુ પામ્યા હતા.”

New up 01

Related posts

કેન્દ્ર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન થઇ જાહેર

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું, ૩ થી ૪ કલાક મચાવશે તાંડવ

Ahmedabad Samay

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો