June 24, 2026
ગુજરાત

ઓમિક્રોનની હવે ગુજરાતમાં એન્ટ્રી, તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો

સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી રહેલો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનએ ભારત બાદ હવે ગુજરાતમાં પણ એન્ટ્રી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો છે અને તેને હાલ આઈસોલેશન વોર્ડમા દાખલ કરવામાં આવેલ છે. ઘાતક ગણાતા આ નવા વેરીયન્ટનો કેસ જામનગરમાં નોંધાતા જ તંત્ર દોડતુ થઈ ગયુ છે.

દેશભરમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટને લઈને હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે ત્યારે જામનગરથી પહેલો કેસ આવતા ચિંતાની લાગણી ફેલાઈ છે. ઝિમ્બાબ્વેથી આવેલ દર્દીનો રીપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યુ કે આ દર્દી ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત છે. આ દર્દીમાં નવો વેરીયન્ટ જોવા મળતા હવે ગુજરાતમાં હવે સતર્કતા રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. અત્રે નોંધનીય છે કે આ દર્દીને અગાઉ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા તેથી સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા. હવે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આફ્રિકાથી ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા દર્દીના રીપોર્ટ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.  જામનગરમાં પ્રથમ કેસ નોંધાતા સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયુ છે.

આ દર્દીને સરકારી જી.જી. હોસ્પીટલમાં અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે અને આ દર્દીની ઉંમર ૭૨ વર્ષ હોવાનું જણાય છે. આ દર્દી વાયા દુબઈ થઈને જામનગર પહોંચ્યા હોવાથી તેમની સાથેના લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Related posts

ઝાયડસ બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે

Ahmedabad Samay

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો