June 24, 2026
ગુજરાત

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

અમદાવાદમાં ઓમિક્રોનની દહેશતને લઈ આરોગ્ય તંત્ર જાગ્યું છે. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ કરાઈ રહ્યો છે. જો કે, શંકાસ્પદ અને કોરોના સંક્રમિત હોય તેવા નાગરિકોને હોમ કવોરંટાઇન દરમ્યાન સંજીવની ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો વધતા જઈ રહ્યા છે. સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ છેલ્લા અઢી મહિનામાં શહેરમાં કોરોનાના 552 પૉઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં 552 થી 500 લોકોએ વિકસીનનો એક કે બંને ડોઝ લીધેલા છે. વેકસીનનો એકપણ ડોઝ નહી લેનાર 25 લોકો સંક્રમિત થયા છે. સાથો સાથ 257 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. વેકસીનેટેડ લોકોને માઈલ્ડ ઇન્ફેક્શન થયું છે. અમદાવાદમાં રેલવે અને બસ સ્ટેશનમાં ચેકીંગ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 48 લાખ લોકોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. પ્રથમ ડોઝની સામે 32.62 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. 68 ટકા લોકોને બીજો ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ. હજુ પણ 32 ટકા લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. 6 લાખ લોકોને હજુ પણ બીજો ડોઝ લેવાનો બાકી છે. લોકો ઝડપથી બીજો ડોઝ લે તે માટે એએમસી દ્વારા SMS અને ફોન કરીને લોકોને બીજો ડોઝ લેવા જાણ કરવામાં આવી રહી છે.

New up 01

Related posts

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો