February 5, 2026
ગુજરાત

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

વિશ્વસ્‍તરે ખ્‍યાતિ મળ્‍યા બાદ કેવડિયા ની ઓળખ બદલાઈ છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બન્‍યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્‍યું છે. ત્‍યારે કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું છે. રેલવે સ્‍ટેશન પર એકતાનગર નું બોર્ડ લગાવવામાં આવ્‍યું.

નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્‍યું છે. ત્‍યારે કેવડિયામાં રેલવે સ્‍ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્‍યા છે.  પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્‍થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે,

જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્‍ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.
કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશન છે. જયાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્‍ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્‍ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી ૨૦૦ કિલો વોટનું વીજ ઉત્‍પાદન કરી શકાય છે.

New up 01

 

Related posts

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

વડોદરા: MS યુનિવર્સિટીમાં યોજાયેલા દર્શન રાવલના કોન્સર્ટમાં ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી, 30 વિદ્યાર્થી બેભાન થયા

Ahmedabad Samay

૩૧મેં શુધી લંબાવી શકે છે લોકડાઉન, ગુજરાતને મળશે રાહત

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો