March 24, 2026
દુનિયા

કોઈપણ સમયે રશિયા યુક્રેન પર હુમલો કરી શકેછે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ઘના વાદળો ઘેરાયા છે. યુક્રેનની સરહદ પર ૧ લાખ ૩૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે રશિયાએ તોપ, ભારે હથિયાર અને મિસાઈલ પણ તૈનાત કરી છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તે જ સમયે, અમેરિકાનું કહેવું છે કે ૧૬ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો થઈ શકે છે.

અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી રશિયા પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપવામાં આવી છે. જો કે, તેની રશિયા પર કોઈ અસર નથી થઈ રહી. રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી.

અમેરિકી અધિકારીઓએ ગયા અઠવાડિયે યુક્રેનની સરહદ પર ૧ લાખ રશિયન સૈનિકો તૈનાત હોવાની માહિતી આપી હતી, પરંતુ હવે અધિકારીઓનું કહેવું છે કે ૧ લાખ ૩૦ હજારથી વધુ રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર ઉભા છે. તેમાંથી ૧.૧૨ લાખ સૈનિકો આર્મીના છે અને ૧૮ હજાર નેવી અને એરફોર્સના છે.

સીએનએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તે દક્ષિણમાં ક્રિમીઆ અને ઉત્ત્।રમાં બેલારુસથી ઘેરાયેલું છે. આ સાથે જ રશિયાએ યુક્રેનની સરહદે પણ સૈનિકો તૈનાત કર્યા છે. યુએસ રિપોર્ટ્સ સૂચવે છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે.

Related posts

તાલિબાની ઓની ક્રૂરતા આવી સામે, અમેરિકાના નાગરિકને અમેરિકાના બ્લેક હોગ હેલિકોપ્ટરે લટકાવ્યો

Ahmedabad Samay

આજના યુવાનો ને દેશ તમામ નાગરિકોને દેશ પ્રતેય ઇગોસ્ટિક હોવું જોઈએ, વિશ્વ વ્યાપી આંદોલ કરવું જોઈએ

Ahmedabad Samay

શુ આપ દુનિયાની સૌથી વિશાળકાય હોટેલ વિશે જાણો છો,આ છે ૧૦,૦૦૦ રૂમ ધરાવતી એકમાત્ર હોટેલ

Ahmedabad Samay

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

Ahmedabad Samay

દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવી મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

શુ PM મોદી રશિયા યુક્રેન યુદ્ધવિરામ કરાવશે ? યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મોદી સાથે ફોન પર વાતચીત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો