March 26, 2026
દુનિયાતાજા સમાચાર

બિલાવલ ભટ્ટો બાદ પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ ભારત વિશે ઝેર ઓક્યું

પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ કહ્યું કે અમે ભારત વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી રહ્યાં નથી પરંતુ હિન્દુસ્તાનમાં જે વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર છે તેની વિરુદ્ધ અમારી ફરિયાદ છે. તેણે કહ્યું કે તમે વારંવાર પાકિસ્તાન વિરુદ્ધ આરોપતા લગાવશો અને પાકિસ્તાન ચુપચાપ સાંભળતું રહેશે તે થવાનું નથી. શાઝિયાએ મોદી સરકારને પડકાર આપતા સુધરી જવાનું કહ્યું હતું. બિલાવલ ભુટ્ટોના પુતળા સળગાવવાની ધમકી આપી રહ્યાં છો, જ્યારે તમારા ખુદના પુતળા હિન્દુસ્તાનમાં સળગી રહ્યાં છે.

શાઝિયા મર્રીએ મોદી સરકારને કહ્યું કે જો મોદી સરકાર લડશે તો જવાબ પણ મળશે. અમને જે ન્યૂક્લિયર સ્ટેટનો દરજ્જો મળ્યો છે તે મૌન રહેવા માટે રાખ્યો છે. પાકિસ્તાન જવાબ આપવાનું પણ જાણે છે. હકીકતમાં શાઝિયા મર્દીની આ પ્રતિક્રિયા બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં આવી છે. બિલાવલ ભુટ્ટોએ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેણે તેમને ગુજરાતના કસાઈ જણાવ્યા હતા.

બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રની બાજુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારને મહાત્મા ગાંધીના બદલે હિટલરથી પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. બિલાવલે પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા.

Related posts

મધ્‍યમ વર્ગની બજેટમાં આવકવેરા મુક્‍તિમાં વધારાની અપેક્ષા પર પાણી ફરયુ

Ahmedabad Samay

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

ઇરાનમાં તેહરાન સહિત અનેક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજથી ફફડાટ

Ahmedabad Samay

મહાયુદ્ધ શરૂ, અમેરિકા અને ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ ખૂબ જ આક્રમક સંયુક્‍ત લશ્‍કરી કાર્યવાહી શરૂ કરી

Ahmedabad Samay

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામની અસર શેરબજારમાં જોવા મળી, દિવાળી જેવો માહોલ

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો