May 15, 2026
અપરાધતાજા સમાચારદેશ

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

રાજસ્થાનની રાજધાની જયપુરથી દિલ્હીની શ્રદ્ધા વોલકર હત્યાકાંડ જેવો હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે.

કાકી દ્વારા અહીં રોકવામાં આવતા ગુસ્સામાં ભત્રીજાએ પહેલા તેની હત્યા કરી અને પછી લાશના 10 ટુકડા કરી જંગલમાં ઠેકાણે લવાગી દીધી. આ સનસનીખેજ હત્યાકાંડ જયપુરના વિધાધર નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. પોલીસે આ મામલાનો ખુલાસો કરતા જણાવ્યું કે આરોપી ભત્રીજાનું નામ અનુજ શર્મા ઉર્ફે અચિંત્ય ગોવિંદ દાસ છે.

જાણકારી અનુસાર અનુજ દિલ્હી જવા ઈચ્છતો હતો પરંતુ કાકી તેના આ નિર્ણયથી નારાજ હતી. તેણે તેને દિલ્હી જવાની મંજૂરી આપી નહીં, આ કારણે તે ગુસ્સે થયો હતો. ત્યારબાદ તેણે હથોડાથી કાકીની હત્યા કરી દીધી. મૃતક મહિલા કેન્સરથી પીડિત હતી, તો આરોપીના માતાનું મોત કોવિડ સમયમાં કોરોનાને કારણે થઈ ગયું હતું.

હકીકતમાં આરોપી અનુજ ઉર્ફે ગોવિંદ દાસ લાંબા સમયથી ઇસ્કોન સાથે જોડાયેલો હતો. તેણે ઇસ્કોનની દીક્ષા પણ લીધી હતી. તે હત્યા કરતા પહેલા કીર્તન માટે દિલ્હી જવા ઈચ્છતો હતો. પરંતુ કીર્તન માટે દિલ્હી જવાની વાત પર કાકી નારાજ થઈ ગયા અને તેણે તેને રોકી લીધો. ત્યારબાદ ભત્રીજાએ કાકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

હથોડાથી હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવા માટે અનુજે માર્બલ કાપવાના કટરથી કાકીના શરીરના 8થી 10 ટુકડા કર્યાં અને બોડીના ટુકડાને ટ્રોલી બેગમાં નાખી, તેણે દિલ્હી રોડ સ્થિત જંગલોમાં ફેંકી દીધા હતા. ત્યારબાદ તે ખુદ પોલીસ સ્ટેશન ગયો અને કાકી ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

પોલીસે આ મામલા વિશે જાણકારી આપતા કહ્યું કે આરોપી અનુજ શર્માએ 11 ડિસેમ્બરે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો અને કહ્યું કે તેના કાકી ગાયબ છે. પોલીસને તેના નિવેદનમાં ઘણા પ્રકારના વિરોધાભાસ જોવા મળ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અનુજ પોતે હત્યારો છે. તેણે પહેલા હથોડાથી હુમલો કરી હત્યા કરી અને ત્યારબાદ કટરથી મૃતદેહના ટુકડા કર્યાં હતા.

ડીસીપી નોર્થ પેરિસ દેશમુખે જણાવ્યું કે શરીરના ટુકડા કર્યા બાદ તેને દિલ્હી રોડ પર સુમસાન વિસ્તારમાં ફેંકી દીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી વખત આ કટ્ટર હરીફને ૬ વિકેટથી પરાજિત કરીને ભારતે સતત બીજો ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા,જેમાં ૪ના મકાન પર બુલડોઝર ફરશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને “પઠાણ” ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો