August 8, 2026
ગુજરાત

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

જિલ્લાના નાગરિકોમા અંધશ્રધ્ધા પ્રત્યે જાગૃતતા કેળવાઈ તે હેતુથી પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ  દ્વારા તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૨૨ ફેબ્રુઆરી સુધી લોક જાગૃતિના કાર્યક્રમો શરૂ યોજાયા હતા. જેમાં રાજુ ભાઈ જોશી અને તેમની નાટક મંડળીની ટીમ દ્વારા જુદા જુદા ગામોમાં આરોગ્ય વિષયક તથા લોકોમાં અંધશ્રદ્ધાથી જાગૃત કરવા નાટકો ભજવવામાં આવ્યા હતા.

જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શેરી નાટક તથા આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજી લોકોને સરકારની જનહિતલક્ષી યોજનાઓ માહિતગાર કરાયા હતા.

જેમાં તા.૨૧ ના રોજ સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના સીમર, ઇશ્વરીયા તથા રોજીવાડા તેમજ  મોઢવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મજીવાણા તેમજ ખાંભોદરના ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સ્વચ્છતા કેળવવી , વ્યક્તિગત હાઇજીન, મચ્છર જન્ય રોગો સામે રક્ષણ મેળવવું, અંધશ્રદ્ધા અંગે જાગૃતતા , બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન , આયુષ્માન કાર્ડ , વેક્સિનેશન તથા શિક્ષણનું જીવનમાં મહત્વ જેવા અનેકવિધ મુદ્દાઓ વિશે નાટક ભજવીને રાજુભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે  આરોગ્ય વિભાગનો સ્ટાફ દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે વિવિધ સૂત્રો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. તેમજ સરકારની આરોગ્યલક્ષી જનહિત ઉપયોગી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Related posts

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

Ahmedabad Samay

AMCની ધમાકેદાર ઓફર, વેકસીનના બીજા ડોઝ પર લકી ડ્રો લાગવા પર આઈફોન આપવામાં આવશે

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

ઠક્કરનગર ચાર રસ્તા પાસે પોલીસે જનતાના ૧૦૦૦રૂપિયા બચાવ્યા

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો