August 7, 2026
ગુજરાત

ગાંધીનગર- પીએસઆઈ ભરતી કૌભાંડનો આરોપી મયુર તડવી રીમાન્ડ પર, તપાસમાં થશે વધુ ખુલાસા

ગાંધીનગર કોર્ટ દ્વારા 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બંને બાજુની બેદરકારી હોવીની ગાંધીનગર કોર્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી. આ મામલે પોલીસે પણ રીમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આરોપી મયુર તડવીના  રાજકીય પીઠ બળની પણ તપાસ કરવી જરુરી છે.

PSI ભરતી કૌભાંડને લઈને ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા છે ત્યારે સરકારને પરીક્ષા મામલે ઘણું સાંભળવું પડી રહ્યું છે. ત્યારે ગૃહવિભાગ સામે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ આ પ્રકારે ભરતી કૌભાંડ બંધ કરવાને લઈને કરવામાં આવી રહ્યો છે. પીએસઆઈ ભરતી કૌભાંડમાં મયુર તડવીએ ગેરરિતી દાખવી હોવાનો આક્ષેપો થતા આ મામલે તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર કોર્ટમાં રીમાન્ડ પણ મયુર તડવી મામલે આજે મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેથી પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવી  શકે છે.

10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર
પોલીસ દ્વારા આરોપીને રજૂ કરીને 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટ તરફથી  મયુર તડવીના રીમાન્ડ મળતા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર એલસીબીએ પણ સમગ્ર મામલે કૌભાંડની તપાસ તેજ કરી છે.

મયુર તડવી મામલે ડાભોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. કરાઈ તેની ટ્રેનિંગ પણ ચાલતી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારે હવે આરોપી મયુર તડવીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ મામલે રીમાન્ડ માંગવામાં આવતા 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મયુર તડવી મામલે ખાસ કરીને ગુજરાતભરમાં યુવાનોમાં નારાજગી પણ જોવા મળી રહી છે કેમ કે, એક તરફ મહેનત કરીને જે યુવાનો એક બે માર્ક્સ માટે રહી જાય છે તેમને આજીવન અફશોસ પણ કરવો પડતો હોય છે ત્યારે આ પ્રકારની ભરતી કૌભાંડમાં અન્ય નામો પણ બની શકે છે સામે આવી શકે.

Related posts

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “વીમાની ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદનું લઘુતમ તાપમાન ૯ ડીગ્રીથી નીચે જવાની શક્યતા

Ahmedabad Samay

કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક (પ્રી-પ્રાઇમરી) સ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો