May 15, 2026
ગુજરાત

ગાંધીનગર: નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, 14થી 18 માર્ચ સુધી અહીં થશે ભરતી મેળાનું આયોજન

નોકરીની શોધ કરતા યુવક-યુવતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની 4 કોલેજ દ્વારા 14થી 16 માર્ચ સુધી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 18 માર્ચે શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળો યોજાશે.

માહિતી મુજબ, ગાંધીનગર અને અમદાવાદની વિવિધ વિદ્યાશાખાની 4 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ ભરતી મેળો 14થી 16 માર્ચ દરમિયાન યોજાશે. ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે 14 માર્ચે જ્યારે 15 અને 16 માર્ચે ગાંધીનગરની પોલિટેકનિક કોલેજમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 15 માર્ચે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે.

રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે

જ્યારે સ્વામિનારાયણ આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ 15 માર્ચે રોજગાર મેળાનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. માહિતી મુજબ, આ રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે. ઉપરાંત, શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જે 18 માર્ચે યોજાશે અને આ મેળામાં ઇન્ટરવ્યૂના આધારે 500થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં ધો.9,10 અને 12 પાસ સહિત ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ચેટીચંડ પર્વની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે કરી

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

યુગાન્ડાના હાઇ લેવલ બિઝનેશ ડેલીગેશન  તા. ૨૪ મીથી ગુજરાતની મુલકાતે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો