May 8, 2026
ગુજરાતઅપરાધ

ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એરંડાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા એરંડાની ચોરી થવાની ઘટના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા. કુલ 4 આરોપીઓએ મળીની 3 ગામની સીમમાં એરંડાની ચોરી કરી હતી.

…સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને લખતર તાલુકાના કારેલા અને અંકેવાળીયા તથા ધ્રાંગધ્રાના જસાપર ગામની સીમમાંથી એરંડાની ચોરી થઇ હતી. આ બાબતે એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીની સુચનાથી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં મુળ ગેડીયા ગામના નસીબખાન હુશેનખાન જત મલેક તથા ઝેઝરી ગામે રહેતો સોહિલખાન અજીતખાન જતમલેકને પોલીસે પકડી લીધા હતા. પુછપરછમાં તેમણે ઇંગરોળીના સીરાજ રહીમખાન જતમલેક અને માલવણના અબદુલ્લખાન દિલાવરખાન જત મલેકે સાથે મળીને કારેલા, અંકેવાળીયા અને જસાપરની સીમમાં એરંડાની ચોરી કરી હતી. તેમાં સીરાજખાનની ગાડી લઇને એરંડાની ચોરી કરવા ગયા હતા. આ કેસમાં સીરાજ રહીમખાન ગુજસીકોટના ગુનાનો આરોપી છે અને પેરોલ જંપ કરેલો છે. આરોપીઓએ એરંડા વેચીને મેળવેલા રૂ.49 હજાર પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીની ટીમે નાશતા ફરતા વધુ બે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

Related posts

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

ગાંધીનગર: મોતીપુરાના વતની અને અમદાવાદમાં રહેતા દંપતીનું જમ્મુ-કાશ્મીરમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતા મોત, વીડિયો વાયરલ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો