February 5, 2026
અપરાધ

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી, દવાઓનું ક્લિનિકલ રિસર્ચનું કૌભાંડ પકડાયું

શહેરમાં વધુ એક હોસ્પિટલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.  અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વી.એસ. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાઓનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. આ અંગે થોડા સમય પહેલાં ફરિયાદ મળ્યા બાદ સમગ્ર મામલાની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ. મનિષ પટેલ હોવાનું કહેવાય છે, જે ફાર્મેકોલોજિસ્ટ દેવાંગ રાણાના કહેવાથી આ સમગ્ર કૌભાંડને અંજામ આપી રહ્યો હતો.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાઓનો દર્દીઓ પર પ્રયોગ કરી, તેના બદલામાં લાખો રૂપિયા લઈને રિસર્ચનો રિપોર્ટ કંપનીઓને આપવામાં આવતો હતો. આ કૌભાંડમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, તબીબોએ એક જ ટેસ્ટ માટે રૂપિયા 32 લાખ જેટલી રકમ મેળવી હતી. રિસર્ચના બદલામાં મળતા નાણાં તબીબોના પરિવારજનો અને સબંધીઓના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા, જેથી આ ગેરરીતિ પકડાઈ ન શકે. આ ઉપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ કૌભાંડમાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને ડીન પણ સામેલ હોઈ શકે છે.

હાલમાં આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ અને તેના મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા થયા છે. જો આ કૌભાંડની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો એક મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે,

આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આરોપસર નીચેના 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે:
* ડૉ. યાત્રી પટેલ (સાયકિયાટ્રિસ્ટ)
* ડૉ. ધૈવત શુક્લ (સ્કિન સ્પેશિયાલિસ્ટ)
* ડૉ. રોહન શાહ (ENT)
* ડૉ. કૃણાલ સથવારા (સર્જિકલ)
* ડૉ. શાલીન શાહ (ડાયાબિટિસ સ્પેશિયાલિસ્ટ)
* ડૉ. દર્શિલ શાહ (યુરોલોજિસ્ટ)
* ડૉ. કંદર્પ શાહ (કાર્ડિયોલોજિસ્ટ)

ક્લિનિકલ ટ્રાયલ શું છે?
ક્લિનિકલ ટ્રાયલ એ ફાર્મા કંપનીઓ દ્વારા નવી દવા શોધવા માટે કરવામાં આવતું રિસર્ચ છે. આ રિસર્ચમાં સફળતા મળ્યા બાદ દવાને પ્રાણીઓ પર ચકાસવામાં આવે છે. ત્યારબાદ મેડિકલ કાઉન્સિલની મંજૂરી મળ્યા પછી માણસો પર તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

આ માટે દવાઓ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓને દવા આપવામાં આવે છે અને તેના રિપોર્ટ નોંધવામાં આવે છે. આ રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે અને અંતે કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન શરૂ થાય છે.

Related posts

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

Ahmedabad Samay

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશની હદમાં ધસમસી રહ્યા છે દેશી દારૂના અડ્ડા

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

admin

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો