June 27, 2026
ગુજરાત

૨૧ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગમાંથી નૈઋત્યનુ ચોમાસું પાછું ખેંચાશે. ચોમાસાના વિદાય વચ્ચે રાજ્યમાં ક્યાક હળવો તો ક્યાક મધ્યમ વરસાદની પણ આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે 15 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રિજન અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ એટલે કે, 15 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ 15 સપ્ટેમ્બર અને પછીના દિવસે 18 અને 19 સપ્ટેમ્બર માટે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. દર વખતની જેમ આ વર્ષે પણ રાજસ્થાનમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાની શરૂઆત થઈ છે. રાજસ્થાનમાંથી શરૂ થયેલ ચોમાસાની વિદાય આગામી બે દિવસમાં ગુજરાત અને પંજાબમાં પણ શરૂઆત થશે.

આ સમયે ગુજરાતમાં પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટર સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા શરૂ થઈ ચૂકી છે. રાજસ્થાનના કેટલાક ભાગની સાથેસાથે પંજાબ અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગમાંથી આગામી બે દિવસમાં ચોમાસુ પાછું ખેંચાવા માટેની સ્થિતિ સર્જાશે. ગુજરાત રાજ્યમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 836.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અને 15 સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ 663.9 મિલીમીટર છે. જે સામાન્ય કરતાં 26 % વધુ વરસાદ કહી શકાય.

હવામાન વિભાગે ગરબા રસીયાઓને નિરાશ કરતી આગાહી કરતા કહ્યું છે કે, નવરાત્રીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે, જેમાં હળવો વરસાદ તો ક્યારેક ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે.

Related posts

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી તંત્ર એક્શનમાં, ઉપરકોટના કિલ્લામાંના 18 દબાણોનું ઓચિંતુ ડીમોલિશન, રાતભર ઓપરેશન

Ahmedabad Samay

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

Ahmedabad Samay

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Ahmedabad Samay

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો