June 22, 2026
ગુજરાત

ખેડૂતો તો ઠીક, મિનિસ્ટર્સ પણ શું ખાશો? A.C. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ એકવાર મુલાકાત લો… મોડાસાના વણિયાદમાં મુસીબતનું માવઠું

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઇને ખેડૂતોના ઊભા પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શુક્રવાર મોડી સાંજથી માવઠુ થતાં અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને થયેલા નુકસાનને લઇને હવે ખેડૂતોની વેદના ચરમસીમાએ પહોંચી ગઈ છે અને એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને હવે ગ્રાઉન્ડ પર પહોંચવા ખેડૂતો આહ્વાહન કરી રહ્યા છે. ખેડૂતોએ સારા પાકની આશા સાથે ઘઉંનુ વાવેતર કર્યું હતું, ઘઉં તૈયાર પણ થઈ ગયા હતા અને કાપણી કરવાની તૈયારી હતી, જોકે માવઠાએ ખેડૂતોની મુસીબત વધારી દેતા હવે ખેડૂતો સવાલે તે લોકોને કરી રહ્યા છે કે, જેઓને જીવવા માટે અનાજની જરૂર છે.

હ્રદય દ્રવી ઉઠે તેવા શબ્દ બાણથી ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. મોડાસા તાલુકાના વણિયાદ-કોકાપુર પંથકમાં ખેડૂતોએ મુખ્યમંત્રીને પણ સવાલો કર્યા છે કે, અધિકારીઓ ક્યારે મુલાકાતે આવશે. એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ન આવી શકે તો તેમના કર્મચારીઓને મુલાકાતે મોકલે અને સર્વે કરાવે. ખેડૂતોએ એમપણ જણાવ્યું કે, ખેડૂતો તો ઠીક શહેરોમાં રહેતા લોકો શું ખાશે ? એટલું જ નહીં મંત્રીઓ પણ શું ખાસે તેવા સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા હતા. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતો વ્યતિત થયા છે. એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને સવાલો કરતા ખેડૂતોએ કહ્યું કે, હવે બધુ વિનાશ થવાને આરે આવી ગયું છે. ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મોડાસા તાલુકાના વણિયાદ સહિતના વિસ્તારોમાં અંદાજે 70 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જોકે માવઠાને કારણે તેઓનો પાક બગડી ગયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, શુક્રવાર મોડી સાંજથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે, જેની અસર સતત બીજા દિવસે શનિવારે પણ જોવા મળ્યું હતું. માવઠા સાથે કરા પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની વેઠવાનો વારો આવતા ખેડૂતો ખૂબ જ વ્યતિત થયા છે અને સર્વે કરાવવાની પણ માંગ કરી છે.

Related posts

કોરોના રસીને લઇ ૨૫ ડિસેમ્બરે આવી શકે છે ખુશખબરી

Ahmedabad Samay

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

Ahmedabad Samay

એક તરફ જીગ્નેશ મેવાણી દારૂ બંધી પર આંદોલ ચલાવે ત્યારે સરકાર બીજી તરફ રાજય સરકાર દારૂબંધી હળવી કરવા રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજી રહ્યા છે

Ahmedabad Samay

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો