March 23, 2026
Other

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરા જીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

માહી ગ્રુપના સભ્યો મિત્રોના જન્મદિવસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે  શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટના ખજાનચી  અમિતભાઈ ઠકરારના લાડકા દીકરા જીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા હતા જેમાં માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાક, તેમજ બાળકોને નાસ્તાનું વિતરણ, તેમજ માહી ગ્રુપ અને ગોપનાથ મંદિરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની જાહેર જનતા માટે કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ જેમાં હાથ પગ ગોઠણ કોણી ગરદન એડી ના દુઃખાવા સાઇટીકા મણકાની તકલીફ પેટ ના દર્દો પડખાનો દુખાવો પેચોટીની તકલીફ શરીરમા કોઇ નસ દબાતી હોય ,હાથ પગ મા ખાલી ચડતી હોય,માથાનો દુખાવો-માઇગ્રેન, થાઇરોડ  વગેરે રોગોની સારવાર આપવામાં આવી હતી જેનો પોરબંદરની જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો

ઉપરોક્ત સેવાકાર્યોનું આયોજન ઠકરાર પરિવારના સહયોગથી કરવામાં આવેલ આ સેવાકાર્યોમાં માહી ગ્રુપ ના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ટ્રસ્ટી અશોકભાઈ ભાદ્રેચા, ખજાનચી સોશિયલ મીડિયા અધ્યક્ષ રાજભાઈ અગ્રાવત, સભ્ય હરેન્દ્રભાઇ હાડા, હાર્દિકભાઈ લુક્કા, કારાભાઈ પાંડવ, રમેશભાઈ મસાણી, મોહનભાઈ ઓડેદરા, પરાગભાઈ લાખાણી, ધનંજયભાઈ ઓઝા, જયેશભાઈ પાઉ, ભરતભાઈ ભટ્ટ, દેવભાઈ ગોસલીયા, હરીશભાઇ, વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો અને દીકરા જીલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી

Related posts

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

Ahmedabad Samay

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો