July 4, 2026
Other

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

રામનવમી પર વડોદરા શહેરમાં રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્‍પષ્ટ ચીમકી રાજ્‍ય ગળહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્‍ચારી હતી.

વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્‍ય ગળહ મંત્રીએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં કોઈપણ ધર્મના ઉત્‍સવો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે કોઈની અફવાથી ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં તાજેતરમાં વડોદરા શહેરમાં રામ નવમીની યાત્રા પર જે રીતે પથ્‍થર મારો થયો હતો અને જે પથ્‍થર મારો કરનારા તત્‍વો હતા તેઓની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી તે દિવસના સીસીટીવી ફૂટેજ હોય કે કેમેરામાંથી મળેલી ફૂટેજ હોય તેના આધારે તમામ તોફાની તત્‍વો ને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે રાજ્‍ય સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.તેમણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હેડ સ્‍પીચ આપનારા વ્‍યક્‍તિઓ હોય જેને કારણે તોફાનોની શકયતાઓ રહેલી છે તેવા સામે પણ ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી રહી છે આવા વ્‍યક્‍તિઓ સામે પણ કોઈની શેહ શરમમાં આવ્‍યા વિના કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

Ahmedabad Samay

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો