March 29, 2026
અપરાધગુજરાત

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુએ આપઘાત કર્યો છે. લગ્નના 3 માસમાં જ પરિણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી યુવતીએ પતિના વ્યસનની લતથી કંટાળીને જીવનનો અંત કર્યો છે.

સરખેજમાં રહેતા ભાજપના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય સાથે જાહ્નવીના લગ્ન થયા હતા. સાણંદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં BAMS ડૉક્ટર તરીકે ફરજ બજાવતા જય પરમાર સાથે જાહ્નવીએ સુખી જીવનની શરૂઆત કરી હતી.

લગ્નના બીજા દિવસે જ પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી પરિચિત થતા પત્નીને આઘાત લાગ્યો હતો. આ વ્યસન લગ્ન જીવનમાં ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હતું. ત્યાર બાદ અવાર નવાર જય પરમાર પત્ની જાહ્નવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. કંટાળીને પત્ની જાહ્વવીએ માત્ર 3 માસનો લગ્ન જીવનનો અંત લાવી આત્મહત્યા કરી હતી.

Related posts

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

રાજકોટમાં ૧૯નાં રવિવારે હેલ્ધી બેબી કોમ્પીટીશન: દરે ભાગ લેનાર બાળકને પ્રોત્સાહિત ઈનામ તથા વિજેતાને અવનવા ઈનામોથી નવાજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો