June 22, 2026
ગુજરાત

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને ખેતી કરવા માટે અને સ્થાનિકોને પીવા માટે પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના થકી કેનાલો બનાવવામાં આવે છે. પરંતુ જ્યારથી આ કેનાલો બની છે ત્યારથી કાગળોની જેમ પાણી છોડતાની સાથે જ કેનાલો તૂટી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં ગાબડું પડવાનો સીલસીલો યથાવત રીતે હજુ પણ ચાલુ છે. એકબાજુ ઉનાળા ની શરૂઆત માં પીવાના પાણીની બૂમરાડ મચી રહી છે. બીજીબાજુ ખેતરો સુધી પાણી પહોંચાડવા બનાવાયેલી નર્મદાની માઇનોર કેનાલોનું કામ સાવ હલકી ગુણવત્તાનું હોઇ વારંવાર તૂટતાં લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે જેમાં ખેડૂતોને ઉભા પાક માં પાણી ફરી વળતા મોટો નુકસાન વેચવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર વાવ તાલુકા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા માઈનોર ૦૨ કેનાલમાં ૩૦ ફૂટ નું ગાબડું પડ્યું હતું.કેનાલમાં અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈને વારંવાર કેનાલો તૂટી રહી છે. જેથી વારંવાર તૂટતી કેનાલોના કારણે ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલ નું કામકાજ શરૂ ન કરવામાં આવતા કેનાલ રીપેર  કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે.  ત્યારે આ બાબતે કેનાલનું પાણી ખેતરમાં ફરી મળતા ખેડૂતોને થયેલા નુકસાન નું વળતર તાત્કાલિક ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Related posts

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ચેટીચંડ પર્વની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે કરી

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 86 ફ્લાઇટ રદ થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો