November 13, 2025
ગુજરાત

મરાઠા અનામત માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૧૦૨માં સુધારા અંગે પુનર્વિચારણાની અરજી ફગાવી

New up 01

“સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૫ મી મેના રોજ બહુમતીના આધારે ૧૦૨ માં સુધારા સાથે સંબંધિત નિર્ણય પર પુનર્વિચારણાની અરજીને ફગાવી દીધી છે. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, ૧૦૨ મી સુધારણા પછી રાજયોને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો (એસઇબીસી) ને ઓળખવાનો અધિકાર નથી.

જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ રવિન્દર ભટની બેન્ચે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પુનર્વિચારણાની અરજીમાં જે આધાર આપવામાં આવ્યા છે, તે બધાને મુખ્ય ચુકાદામાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બેન્ચે કહ્યું છે કે ૫ મેના આદેશમાં દખલ કરવાનો કોઈ આધાર નથી. એમ કહીને બેન્ચે કેન્દ્ર સરકારની સમીક્ષા અરજીને ફગાવી દીધી.

બેન્ચે ઓપન કોર્ટમાં રિવ્યુ પિટિશનની સુનાવણી કરવાની કેન્દ્રની માંગને પણ ફગાવી દીધી. આ અરજીની સુનાવણી બેંચ દ્વારા ૨૮ જૂને તેની ચેમ્બરમાં કરવામાં આવી હતી, પરંતુ ગુરૂવારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આ આદેશ રજુ કરવામાં આવ્યો.

ગત ૫ મેના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણની બેંચે બહુમતી (૩:૨) ના આધારે કહ્યું કે, ૧૦૨માં સુધારા પછી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ઓળખવાનો રાજયોનો અધિકાર સમાપ્ત થઇ ગયો છે.”

Related posts

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાને શિક્ષણ ક્ષેત્રે 1001 પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા અને ઓરિએન્ટ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધવાયું

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

અલ કાયદા સાથે સંકળાયેલા 4 શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે, થયા કેટલાક મહત્વના ખુલાસાઓ

admin

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો