June 27, 2026
અપરાધ

અમદાવાદ: નિકોલમાં 25 વર્ષીય ડોક્ટરે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો, 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન

શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવે એવી ઘટના બની છે. 25 વર્ષીય તબીબે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો છે. રાતે ઘરે પરિવાર સાથે જમ્યા બાદ તબીબે પોતાના રૂમમાં જઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે નિકોલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, તબીબના આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.

મળતી માહિતી મુજબ, નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલી કેમ્પ્સ કોર્નર સોસાયટીમાં 25 વર્ષીય ડોક્ટર રાહુલ પટેલ પરિવાર સાથે રહેતા હતા. તેઓ નિકોલમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હતા. રાહુલના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા. રાહુલ પટેલે થોડા દિવસ પહેલા જ નિકોલમાં રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ રાહુલ તેમની પત્ની કાજલ અને પિતા રમેશભાઈ ચલાવે છે. હોસ્પિટલમાં ફરજ બજાવ્યા પછી રાહુલ સાંજે રેસ્ટોરન્ટ પર આવતા હતા. દરમિયાન મંગળવારે રાહુલની પત્ની કાજલને પીયરે જવું હોવાથી તે નીકળી ગઈ હતી. જ્યારે સાંજે રાહુલ અને તેમના પિતા રમેશભાઈ રેસ્ટોરન્ટ પર હતા.

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

રાતે રેસ્ટોરન્ટ બંધ કરીને રાહુલ પિતા સાથે ઘરે આવ્યા હતા. જ્યાં પરિવાર સાથે જમ્યા પછી રાબેતા મુજબ રાહુલ પોતાના રૂમમાં સૂવા ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે રાહુલ રૂમમાંથી બહાર ન આવતા પિતાને શંકા ગઈ હતી. આથી તેમણે રૂમ ખોલી ચેક કરતા રાહુલ બેભાન અવસ્થામાં બેડ પર પડ્યો હતો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે રાહુલને મૃત ઘોષિત કર્યો હતો. રાહુલે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. રાહુલના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ કરી ગયું છે. રાહુલના પિતાએ જણાવ્યું કે, એવું કોઈ કારણ નથી કે રાહુલે આ પગલું ભરવું પડે. રાહુલના લગ્નને માત્ર 5 મહિના જ થયા છે. પતિ અને પત્ની વચ્ચે ક્યારે કોઈ ઝઘડો પણ નથી થયો. હાલ, નિકોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Related posts

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

‘એની સાથે જ લગ્ન કરીશ’ મંડપમાંથી ફિલ્મી સ્ટાઈલમાં બોયફ્રેન્ડ સાથે ભાગી છોકરી, પછી શું થયું?

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ, 191 સાક્ષીઓના નિવેદન, 15 દસ્તાવેજ પુરાવા સામેલ

Ahmedabad Samay

સૈફ અલી ખાન પર ઘરમાં ઘુસેલા ચોરે કર્યો ચાકુ વડે કર્યા ગંભીર હુમલો, સૈફ અલી ખાન હવે ખતરાથી બહાર, હૂમલાખોરનો ચહેરો CCTVમાં થયો કેદ,હુમલાખોરની શોધખોળ ચાલુ સુરક્ષા અંગે ઉઠ્યા અનેક સવાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો