June 10, 2026
ગુજરાત

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

રાજ્યભરમાં આવતીકાલે એટલે કે રવિવારથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)ના ચેરમેન હસમુખ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે જુનિયર કલાર્કની પરીક્ષાને લઈ વિગતવાર માહિતી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ દરેક બાબતે ધ્યાન રાખીને તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષા આદર્શ રીતે લઈ શકાશે તેવી ખાતરી છે.

‘પરીક્ષાનું પરિણામ જૂન મહિના સુધીમાં આવી શકે છે’

તેમણે આગળ કહ્યું કે, લોકરક્ષકની પરીક્ષાની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે યોજાશે. આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પરિણામ જૂન મહિના સુધીમાં આવી શકે છે તેમ હસમુખ પટેલે જણાવ્યું હતું. ઉપરાંત, તેમણે કહ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. અયોગ્ય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ગોઠવાયા છે. આ સાથે ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે.

રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સક્વોડ નજર રાખશે

હસમુખ પટેલે જણાવ્યું કે, ડમી ઉમેદવારો કેન્દ્ર સુધી ન પહોંચી શકે તે માટે પણ પુરતા ઓબ્ઝર્વર્સ, ફ્લાઇંગ સ્કવોડ, બોડીવોર્ન કેમેરા અને પોલીસ તંત્રની પણ મદદ લેવામાં આવી છે. ઉમેદાવારોએ સવારે 11.45 પહેલા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. આ સાથે સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર પર વીડિયોગ્રાફીની વ્યવસ્થા પણ કરાઈ છે. પોલીસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. હસમુખ પટેલે કહ્યું કે, રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સક્વોડ નજર રાખશે. ઉપરાંત, જે ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર અન્ય શહેરમાં હોઇ તેમના માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે તે શહેરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ એસટી બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પોતાની સાથે ઓળખકાર્ડ, પેન અને કોલ લેટર લઈ જઈ શકશે.

Related posts

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

જીબીએસ જેવી ગંભીર બીમારી પર જીત માટે મુકબધીર યુવતીનો અનોખો જંગ, 25 વર્ષીય કાજલને મળ્યું નવજીવન

Ahmedabad Samay

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો