June 27, 2026
ગુજરાત

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, કોર્પોરેશન હવે રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે બાઉન્સરો રાખશે. આ માટે સ્ટેટ લીગલ ઓથોરિટીએ હોટસ્પોટ પણ નક્કી કર્યા છે. શહેરના કુલ 96 સ્થળ પર રખડતા ઢોરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સરોની તૈનાતી કરશે.

હાઈકોર્ટમાં કોર્પોરેશને પોતાની નીતિ રજૂ કરી

અહેવાલ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતાં ઢોર પકડવાની નીતિને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી છે. આ સાથે જ રખડતાં ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારને પણ રજૂઆત કરાઈ છે. કોર્પોરેશને એફિડેવિટ દાખલ કરી આ સમગ્ર મામલે રજૂઆત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે, અગાઉ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સામે આવતા ગુજરાત હાઈકોર્ટે પણ રખડતા ઢોર મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, છતાં પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ વસ્ત્રાલ વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો હતો. રખડતા ઢોરે યુવકને અડફેટમાં લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 10 ટાંકા આવ્યા હતા.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

Ahmedabad Samay

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો