July 22, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. હાલ બજેટને લગતી બેઠકોનો દોર ચાલી રહયો છે. બજેટ સત્ર પૂર્વ રાજય સરકારને સ્‍પર્શતી મહત્‍વની હિલચાલ દેખાઇ રહી છે. લાંબા સમયથી જેની ચર્ચા થઇ રહી છે તે મંત્રી મંડળ વિસ્‍તરણ હવે નજીકમાં હોવાનું આધારભૂત સુત્રોનું કહેવું છે. મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની છે.

ભાજત સંગઠનમાં નેતૃત્‍વ પરિવર્તન પ્રદેશ પ્રમુખ નિશ્‍ચિત છે. સરકારમાં નેતૃત્‍વ પરિવર્તન વિષે,મુખ્‍યમંત્રી બદલાવા અંગે એકથી વધુ મત પ્રવર્ત છે. સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ છે. એક બે દિવસ પહેલા સંઘના અમુક મોભીઓ દ્વારા બે-ત્રણ કેબીનેટ મંત્રીઓ અને એકાદ રાજય કક્ષાના મંત્રીને અમદાવાદ બોલાવી કામગીરી બાબતે માહિતી મેળવવામાં આવ્‍યાનું જાણવા મળે છે. દરેક મંત્રની કામગીરીની સમીક્ષાના આધારે તેમનું રાજકીય ભવિષ્‍ય નક્કી થશે. મંત્રીઓને પ્રજાલક્ષી કામગીરી માટે ચોક્કસ નિર્દેષો આપવામાં આવ્‍યા છે. હજુ બીજા મંત્રીઓને તબક્કવાર સંઘ દ્વારા બોલાવવામાં આવે તેવી શકયતા છે.

સત્તાવાર રીતે સંઘ અને ભાજપનું સંગઠન અલગ હોવા છતા ભાજપના નિર્ણયોમાં સંઘનું માર્ગદર્શન  માનવામાં આવે છે. રાજયમાં આગામી દિવસોમાં સર્જાનારા સમીકરણોમાં સંઘની ભૂમિકા મહત્‍વપુર્ણ રહેશે. ૮૦ નગરપાલિકાઓ સહિત સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં એકદમ નજીકના ભવિષ્‍યમાં ચુંટણી આવી રહી છે ત્‍યારે રાજકીય નવાજુનીની અટકળો તેજ બની રહી છે.  મંત્રી મંડળમાં પરિવર્તન થાય તો અમુકના ખાતા બદલાશે. અમુકને પડતા મુકાય અને નવા અમુક ચહેરાને સ્‍થાન અપાય તેવા નિર્દેષ છે.

Related posts

અમદાવાદમાં ફરી વાગશે જાહેર સાયરન ,આજે આપાતકાલિન સાયરન સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન

Ahmedabad Samay

અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટના નામની સત્તાવાર જાહેરાત,હિતેશ બારોટ સરકારી બંગલો અને ગાડી નહીં વાપરે

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

Ahmedabad Samay

સાઈ ગણેશ ગૃપ “કર્ણાવતી ચા મહારાજા” ચાપાનેર સોસાયટી વાડજ દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો