March 25, 2026
ગુજરાત

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

ચાંદખેડામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચાંદખેડામાં આવલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી છે. બાળકને બિલ્ડિંગના 10માં માળેથી નીચે ફેંકી તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

મીડિયા અહેવાલ મુજબ, ચાંદખેડામાં આવેલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં બુધવારે ધોળા દિવસે એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. બિલ્ડિંગના 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકવામાં આવ્યું હતું. જો કે, નવજાત બાળકની હત્યા કોણે કરી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ, આ મામલે પોલીસને જાણ કરાતા ચાંદખેડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. મા મામલે સોસાયટીના શંકાસ્પદ લોકોનું ડીએનએ કરાવવામાં આવી શકે છે, જેથી જાણી શકાશે કે આ નવજાત બાળક કોનું છે?

પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

આ ઘટના કોઈ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ નવજાત બાળક નીચે કેવી રીતે પડ્યું? તેની હત્યા કરવામાં આવી છે કે કોઈ અન્ય કારણ છે? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ પોલીસ મેળવી રહી છે.

Related posts

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિંહ ભદૌરીયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

Ahmedabad Samay

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો