June 22, 2026
ગુજરાત

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ આજે સાણંદ તાલુકાના સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મમતા દિવસ નિમિત્તે તેલાવ આંગણવાડી સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી. દવેએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડ એનરોલમેન્ટ કામગીરી તેમજ સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલ ખાતે થતા PMJAY ક્લેમ અને સગર્ભા બહેનોની ડિલિવરી બાબતે લેવાતી કાળજી અને સારી કામગીરી માટે અભિનંદન આપ્યા હતા તેમજ ઓપીડી અને ડિલીવરી તથા ઇન્ડોર દર્દીની કામગીરી વધે તે માટે પ્રયત્નો કરવા સૂચન કર્યાં હતાં. ડીડીઓએ આ હોસ્પિટલ જિલ્લાનું મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તે માટે શુભેચ્છા પાઠવી હતી. મમતા દિવસ નિમિત્તે લીધેલી મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટીફીકેશન અંતર્ગત મોડાસર તળાવ અને શેલા તળાવની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.
 દવેએ સાણંદ તાલુકા પંચાયત કચેરીની પણ મુલાકાત લઈને બેઠક યોજી હતી અને યોગ્ય  દિશાનિર્દેશન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી સપના રાજપુત અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. બી.કે વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો