May 9, 2026
ગુજરાત

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ દ્વારા આજે ચૂકાદો આપવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ મામલે કામગિરીને લઈને ભ્રષ્ટાચારની ફરીયાદો થતા આ મામલો સતત ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી આજે હાથ ધરાશે. આરોપીની જામીન અરજી પર સેશન્સ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે.

અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામનાવિવાદમાં સંડોવાયેલા અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના માલિક રમેશ પટેલ સહિત ચાર ડિરેક્ટરોની જામીન અરજી પર સેશન્સ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે ત્યારે આ મામલે આજે ચૂકાદો આવશે.

ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આગોતર જામીન માટે પણ તેમાંથી ચાર લોકોએ અરજી કરી હતી. ત્યારે ભ્રષ્ટાચારનો બ્રિજ સાબિત થયેલા આ કેસ મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જે

સરકારે આરોપીઓને જામીન ન આપવા કોર્ટમાં અરજી કરી છે. સરકારની દલીલ છે કે કોન્ટ્રાક્ટરે સિમેન્ટ અને હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો છે. સરકારે એવું પણ કહ્યું હતું કે નબળા કામ સામે સારી ગુણવત્તાના બિલ રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર વિવાદમાં કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો