February 5, 2026
ગુજરાત

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

આ તો કેવો વિકાસ  “ સબકા સાથ સબકા વિકાસ” સરકાર આમ તો એક તરફ જોરોશોરો થી પ્રચાર કરેછે કે સબકા સાથ સબકા વિકાસ અને બીજી તરફ વિકલાંગ વ્યક્તિઓની જે અનામત કવોટાના કારણે સરકારી નોકરી મળતી હતી તે નાબૂત કરવામાં આવી છે તો આ કેવો વિકાસ થયો ?

આ આરક્ષણ દૂર કરતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી અને દેશના વિકલાંગો રોષે ભરાયા છે અમદાવાદ ખાતે કલેક્ટર શ્રીને આ આરક્ષણ પર લેવાયેલ નિર્ણયને બદલવામાં આવે અને યોગ્ય ન્યાય આપવામાં આવે ,

રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી આવેદનપત્ર આપતા જણાવે છે કે વિકલાંગ વ્યક્તિઓ અધિનિયમ, 2016/2016 ના 49 ની કલમ 34 ની પેટા-કલમ (1) ને બીજા પ્રોવિઝો દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, IPS, રેલવે સુરક્ષા દળ, દિલ્હી, આંદામાન અને નિકોબાર, લક્ષ્યદીપ, દમણ દીપ, દાદરા અને નગર હવેલી પોલીસ દળમાં અપંગો અને તમામ લડાઇ ચોકીઓમાં નોકરીના આરક્ષણમાંથી દૂર કરાયા છે. આ સિવાય, આરએસપી, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એસએસબી અને આસામ રાઈફલ્સ સહિત સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) ને આરક્ષણ દૂર કરવામાં સામેલ કરવામાં આવ્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે, એક ગેઝેટ નોટિફિકેશન મુજબ, સરકારે તે સંસ્થાઓને અધિકાર વ્યક્તિઓના અધિકાર અધિનિયમ, 2016 ના દાયરામાંથી મુક્તિ આપી હતી, જે અપંગ વ્યક્તિઓ માટે રોજગારમાં અનામતની જોગવાઈ કરે છે. આ અધિનિયમ હેઠળ, અપંગ લોકોને પોલીસ ફોર્સ, રેલવે પ્રોટેક્શન ફોર્સ જેવા એકમોમાં નિમણૂકમાં ચાર ટકા અનામત મળતી હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે.

સરકારી નોકરીઓમાં અપંગ વ્યક્તિઓનું અનામત સમાપ્ત થવાના કારણે દેશના વિકલાંગો રોષે ભરાયા છે. નેશનલ ડિસેબલ્ડ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાની સખત નિંદા કરે છે અને તેનો વિરોધ વ્યક્ત કરે છે.

આ સૂચના તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ અથવા આ સૂચનાને કારણે જે નોકરીઓ ખોવાઈ રહી છે તેના સ્થાને અન્ય વિભાગોમાં નોકરીઓનો આરક્ષણ ક્વોટા વધારવો જોઈએ. નહિંતર, રાષ્ટ્રીય વિકલાંગ પક્ષ ઉગ્ર  આંદોલન કરવામાં આવશે અને પોતાના હક્કની લડત લડવામાં આવશે.

Related posts

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

આમ આદમી તરફથી ઇન્દ્રપુરી વોર્ડમાં બબીતા જૈને અપાઇ ટીકીટ

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો