March 18, 2026
ગુજરાત

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વર્ગ 4ના સેવકો મુશ્કેલીમાં મુકાયા છે. 50 જેટલા સેવકોનો મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. નોટિસ મળેલા સેવકો વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા છે ત્યારે હવે કોન્ટ્રાક્ટ પૂરો થયો કહીં મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિદ્યાપીઠના સેવકો મુશ્કેલીઓમાં મુકાયા છે.

જો કે, બીજીતરફ વિદ્યાપીઠ તંત્રનું પણ કહેવું છે કે, કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને નવા અન્યને ચાન્સ મળે. આ ઉપરાંત જેમણે નોટીસ આપવામાં આવી છે તેમને 30 દિવસમાં મકાન ખાલી કરવાનું રહેશે અને જો મકાન ખાલી તેઓ નથી કરતા તો તેમને બજાર કિંતમ જેટલું ભાડું ચૂકવવાનું રહેશે. તેમ સૂચવવામાં આવ્યું છે. જેથી વર્ગ 4ના આ કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે. ખાસ કરીને જે સેવકો વિદ્યાપીઠમાં વર્ષોથી કામ કરતા હતા તેઓનું કહેવું છે કે, તેમાંથી કેટલાકની ઉંમર પણ થઈ ગઈ છે જેઓ હવે કોઈ બીજું કામ કરી શકે તેમ નથી આ સિવા અહીં ઘણા વર્ષોથી તેમને સેવા આપી છે. જેથી તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.

કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રીયા પ્રાપ્ત વિગતો અનુસાર ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. વિદ્યાપીઠના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે તેમની તમામ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. જેમાં અભ્યાસ અને આવડતના આધારે ભરતી કરવામાં આવશે. વિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ઉમેદવારોને પણ નોકરીની તકો પૂરી પાડવાનો છે.

Related posts

વીરાંગના ભારતી દ્વારા શ્રાવણ માસના શરૂઆતમાં વૃક્ષો વિતરણ કરાયા

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા BRTS કોરિડોરમાં વાહનચલાવતા વાહનચાલકો પાસેથી અંદાજીત રૂ.85,000નો દંડ વસૂલયો, જનતાન મત પ્રમાણે જો જાહેર માર્ગ પર ટ્રાફિક સમસ્યા દૂર કરે તો BRTS કોરિડોર કોઈ જાય જ નહીં

Ahmedabad Samay

બર્થડે પાર્ટી, કોર્પોરેટ મીટિંગ માટે હવે મ્યુનિ.ના હોલ 50 ટકા ભાડામાં મળશે, પેન્શનર્સ મીટિંગ, કિટી પાર્ટી કે સામાજિક હેતુ માટે મર્યાદિત સમય ભાડે રાખી શકાશે

Ahmedabad Samay

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

અમદાવાદનો વીર પુત્ર મેરઠમાં શહીદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો