August 8, 2026
ગુજરાત

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવામાં આવશે. અગાઉ બિસ્માર રોડ રસ્તા મામલે હાઈકોર્ટે પણ થયેલી અરજી મામલે ફટકાર લગાવી હતી ત્યારે ચોમાસા પહેલા નવા રોડ બનાવવા તેમજ રીપેર કરવામાં આવશે.

પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા વરસાદના આધારે ખાતાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે રોડ રસ્તાના કામો પણ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ચોમાસામાં હાલાકી ના વેઠવી પડે તે હેતુથી 94 જેટલા નવા રોડ બનાવવામાં તેમજ રીપેર કરવામાં આવશે.
142 નવા રોડ બનાવવામાં આવશે. ચોમાસામાં હાલાકી પડતા લોકોની મુશ્કેલીઓ વધુ પડે છે  ત્યારે આગામી સમયને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આ કામગિરી તરફ એએમસી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના થશે કામો 
આ કામો ઝડપથી પૂર્ણ કરવા આદેશો આપવામાં આવ્યા છે. તેમાં પણ આ રસ્તાઓમાં ખાસ કરીને બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત ઉત્તર પશ્ચિમ ઝોનમાં મહત્તમ 27 રસ્તાઓ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે જ્યારે પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડિયા વિસ્તારમાં બાકી રહેલા કામો રોડના પૂર્ણ કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના કામો થશે.

Related posts

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

અમદાવાદના બી.આર. ટી. એસ. સ્ટેન્ડની છત બિસમાર હાલતમાં

Ahmedabad Samay

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

Ahmedabad Samay

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો