August 8, 2026
ગુજરાત

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવામાં આવશે. અગાઉ બિસ્માર રોડ રસ્તા મામલે હાઈકોર્ટે પણ થયેલી અરજી મામલે ફટકાર લગાવી હતી ત્યારે ચોમાસા પહેલા નવા રોડ બનાવવા તેમજ રીપેર કરવામાં આવશે.

પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા વરસાદના આધારે ખાતાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે રોડ રસ્તાના કામો પણ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ચોમાસામાં હાલાકી ના વેઠવી પડે તે હેતુથી 94 જેટલા નવા રોડ બનાવવામાં તેમજ રીપેર કરવામાં આવશે.
142 નવા રોડ બનાવવામાં આવશે. ચોમાસામાં હાલાકી પડતા લોકોની મુશ્કેલીઓ વધુ પડે છે  ત્યારે આગામી સમયને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આ કામગિરી તરફ એએમસી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના થશે કામો 
આ કામો ઝડપથી પૂર્ણ કરવા આદેશો આપવામાં આવ્યા છે. તેમાં પણ આ રસ્તાઓમાં ખાસ કરીને બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત ઉત્તર પશ્ચિમ ઝોનમાં મહત્તમ 27 રસ્તાઓ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે જ્યારે પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડિયા વિસ્તારમાં બાકી રહેલા કામો રોડના પૂર્ણ કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના કામો થશે.

Related posts

અમદાવાદમાં ડેપોથી ૨૩૨૫ એક્સપ્રેસ બસો શરૂ કરાઈ

Ahmedabad Samay

ગુજરાતમાં કોરોનાના સક્રીય કેસો 700ને પાર, 19 દિવસમાં 1000થી વધુ કેસો નોંધાયા

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો