March 29, 2026
અપરાધ

પતિ સાથે વારંવાર થતાં ઝગડાથી કંટાળી પત્નિએ સિંદૂર પી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

શાપરમાં શીતળામાતાના મંદિર પાસે રહેતા દંપતી વચ્ચે ચાલતા ઝઘડાના કારણે પત્નીએ સિંદુર પી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેમાં ગૃહકલેશના કારણે કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં શીતળા માતાના મંદિર પાસે રહેતા અને માર્કેટિંગનું કામકાજ કરતા મૂળ બિહારના સુનીલ કુમાર સિંગની પત્ની રાનીબેને પોતાના ઘરે સિંદુર પી ગળાફાંસો ખાઈ લીધો હતો. પતિ સુનીલ કુમાર જોઈ જતા રાનીબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસ મથકમાં જાણ કરતા શાપર પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સુનીલ કુમાર અને રાનીબેન છેલ્લા ત્રણેક વર્ષથી લીવ ઇન રિલેશનમાં સાથે રહે છે. પરંતુ દોઢ વર્ષ પહેલાં બંને વચ્ચે ઝઘડો થતા સુનીલ કુમાર બિહાર જતો રહ્યો હતો. ત્યાર બાદ રાનીબેને પોલીસમાં અરજી કરતા સુનીલ કુમાર પરત આવ્યો હતો અને છ માસ પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. હાલ રાની બેનને છ માસનો ગર્ભ હોવાની અને દંપતી વચ્ચે ચાલતી નાની મોટી માથાકૂટમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

રાજકોટના બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: હુમલામાં મહિલા સહિત ૬ ઘવાયા

Ahmedabad Samay

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છ માસથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

દેરોદર ગામની મોરા સીમ વિસ્તારમાં રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો