June 24, 2026
અપરાધ

પતિ સાથે વારંવાર થતાં ઝગડાથી કંટાળી પત્નિએ સિંદૂર પી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

શાપરમાં શીતળામાતાના મંદિર પાસે રહેતા દંપતી વચ્ચે ચાલતા ઝઘડાના કારણે પત્નીએ સિંદુર પી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેમાં ગૃહકલેશના કારણે કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં શીતળા માતાના મંદિર પાસે રહેતા અને માર્કેટિંગનું કામકાજ કરતા મૂળ બિહારના સુનીલ કુમાર સિંગની પત્ની રાનીબેને પોતાના ઘરે સિંદુર પી ગળાફાંસો ખાઈ લીધો હતો. પતિ સુનીલ કુમાર જોઈ જતા રાનીબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસ મથકમાં જાણ કરતા શાપર પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સુનીલ કુમાર અને રાનીબેન છેલ્લા ત્રણેક વર્ષથી લીવ ઇન રિલેશનમાં સાથે રહે છે. પરંતુ દોઢ વર્ષ પહેલાં બંને વચ્ચે ઝઘડો થતા સુનીલ કુમાર બિહાર જતો રહ્યો હતો. ત્યાર બાદ રાનીબેને પોલીસમાં અરજી કરતા સુનીલ કુમાર પરત આવ્યો હતો અને છ માસ પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. હાલ રાની બેનને છ માસનો ગર્ભ હોવાની અને દંપતી વચ્ચે ચાલતી નાની મોટી માથાકૂટમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

તળાજા તાલુકાના કોદીયા ગામના પાંચ યુવાનોને ગોઠ માંગવી ભારે પડી હુમલો કરી અને લૂંટ કરી હોવાના આરોપ સાથે પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

૧૪ દિવસથી ગુમ થયેલ યુવકની લાશ મળી: મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો