June 24, 2026
ગુજરાત

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

ભરૂચ જિલ્લા માંથી પસાર થતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે જમીન સંપાદન કરી ગેરકાયદેસર રીતે પૂરતું વળતર આપ્યા વગર ખેડૂતો સાથે અન્યાય થતો હતો,જે બાબતે ખેડૂતો ગુજરાત હાઇકોર્ટ ના દ્વારે પહોંચી ન્યાય મેળવવા ગયા હતા,કેટલાક સ્થાનિક ખેડૂત આગેવાનોને ભરમાવીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત હાઇકોર્ટ માંથી કેસ પરત ખેંચાવી લઈ અન્ય જિલ્લા ના ખેડૂતોને અપાયેલ વળતર આપવાના વાયદા આપી સ્થાનિક ખેડૂતો ને છેતરી પંચાયત અને વિધાનસભા ની ચૂંટણીઓમાં ખેડૂતોનો સહકાર મેળવી આજે ખેડૂતોને છેતરી ગયા હોવાના આક્ષેપ ગુજરાત કોંગ્રેસ ના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવ્યા છે,

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે પોલીસ ના જોર ઉપર પોલીસ બંદોબસ્ત સાથે હાઇવે નું કામ શરૂ કરી દીધું છે, સરકાર ની વાત માં ભરમાઈ જઈ કેટલાક ખેડૂતોએ સમનવય સમિતિ બનાવી દીધી હતી અને અનેક મિટિંગો ગાંધીનગર અને દિલ્હી સુધી આ સમિતિ ની મિટિંગો માત્ર ભાજપ ના આગેવાનો દ્વારા ફોટો સેશન અને સમાચાર પત્રો માં પ્રચાર પૂરતી મળતી હતી,સમિતિ ની વળતર આપવાની માંગ એક ઝાટકે સરકાર દ્વારા ફગાવી દેવાઈ છે,

ગુજરાતના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ખેડૂત સમાજ ના પ્રમુખ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા પત્ર પાઠવી રજુઆત કરી છે કે કલેકટર ભરૂચ ને જમીન સંપાદન અધિનિયમ 2013 જે ડો, મનમોહન સિંહ ની સરકાર માં ખેડૂતો ને પોતાના હિતોની રક્ષા કરવા માટે બનાવવા માં આવ્યો હતો એ કાયદા ની કડક અમલવારી સાથે ખેડૂતો ને વિશ્વાસ ના લીધા સિવાય કે પૂરતું વળતર આપ્યા વગર ગેરકાયદેસર રીતે શરૂ કરેલું કામ તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરવા સાથે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતો ને આપવામાં આવેલ વળતર ચૂકવવા ની માંગણી કરી હતી,

Related posts

વિશ્વના આશરે 40 દેશોએ માત્ર અપીલ જ નહીં, પરંતુ ઉર્જા બચાવવા માટે કડક કાયદાકીય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા,AC નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Ahmedabad Samay

લાંબા રૂટની બસોમાં ઉપલબ્‍ધ ઓનલાઈન બુકિગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

Ahmedabad Samay

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો