May 9, 2026
ગુજરાત

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

ભરૂચ જિલ્લા માંથી પસાર થતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે જમીન સંપાદન કરી ગેરકાયદેસર રીતે પૂરતું વળતર આપ્યા વગર ખેડૂતો સાથે અન્યાય થતો હતો,જે બાબતે ખેડૂતો ગુજરાત હાઇકોર્ટ ના દ્વારે પહોંચી ન્યાય મેળવવા ગયા હતા,કેટલાક સ્થાનિક ખેડૂત આગેવાનોને ભરમાવીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત હાઇકોર્ટ માંથી કેસ પરત ખેંચાવી લઈ અન્ય જિલ્લા ના ખેડૂતોને અપાયેલ વળતર આપવાના વાયદા આપી સ્થાનિક ખેડૂતો ને છેતરી પંચાયત અને વિધાનસભા ની ચૂંટણીઓમાં ખેડૂતોનો સહકાર મેળવી આજે ખેડૂતોને છેતરી ગયા હોવાના આક્ષેપ ગુજરાત કોંગ્રેસ ના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવ્યા છે,

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે પોલીસ ના જોર ઉપર પોલીસ બંદોબસ્ત સાથે હાઇવે નું કામ શરૂ કરી દીધું છે, સરકાર ની વાત માં ભરમાઈ જઈ કેટલાક ખેડૂતોએ સમનવય સમિતિ બનાવી દીધી હતી અને અનેક મિટિંગો ગાંધીનગર અને દિલ્હી સુધી આ સમિતિ ની મિટિંગો માત્ર ભાજપ ના આગેવાનો દ્વારા ફોટો સેશન અને સમાચાર પત્રો માં પ્રચાર પૂરતી મળતી હતી,સમિતિ ની વળતર આપવાની માંગ એક ઝાટકે સરકાર દ્વારા ફગાવી દેવાઈ છે,

ગુજરાતના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ખેડૂત સમાજ ના પ્રમુખ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા પત્ર પાઠવી રજુઆત કરી છે કે કલેકટર ભરૂચ ને જમીન સંપાદન અધિનિયમ 2013 જે ડો, મનમોહન સિંહ ની સરકાર માં ખેડૂતો ને પોતાના હિતોની રક્ષા કરવા માટે બનાવવા માં આવ્યો હતો એ કાયદા ની કડક અમલવારી સાથે ખેડૂતો ને વિશ્વાસ ના લીધા સિવાય કે પૂરતું વળતર આપ્યા વગર ગેરકાયદેસર રીતે શરૂ કરેલું કામ તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરવા સાથે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતો ને આપવામાં આવેલ વળતર ચૂકવવા ની માંગણી કરી હતી,

Related posts

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

NIRFમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ ઘટ્યું, ટોપ 10માં કોઈ યુનિવર્સિટી નહીં, જાણો રાજ્યની યુનિવર્સિટીઓના રેન્ક

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો