August 8, 2026
ગુજરાત

આવતીકાલે બાબા બાગેશ્વર આવશે અમદાવાદ, 29મેના રોજ યોજોશે લોકદરબારનો કાર્યક્રમ

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો લોકદરબારનો કાર્યક્રમ હોવાથી તેઓ આવતીકાલે સુરતથી અમદાવાદ આવશે. ચાણક્યપુરીમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગઈકાલે વિશાળ જનમેદનીમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે હવે અમદાવાદમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તોની વચ્ચે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ આવતીકાલે 8 વાગે સુરતથી હવાઈ માર્ગેથી નકળી અમદાવાદ સવારે 9 કલાકે પહોંચશે.

અમદાવાદથી અંબાજી દર્શન કરવા માટે તેઓ પહોંચશે. જ્યાં માં અંબાના દર્શન કરીને તેઓ આશીર્વાદ મેળવશે. તેઓ અમદાવાદ આવીને રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે બાબા બાગેશ્વર સુરતમાં છે જ્યાં ફાઈસ્ટાર હોટલમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરનો તેમનો કાર્યક્રમ હતો પરંતું પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. સુરતથી આવતીકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે. જો કે, પ્રથમ દિવસે જ ગુજરાતમાં તેઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જો કે, અમદાવાદ બાદ તેમનો રાજકોટનો કાર્યક્રમ યોજવામાં આવશે. આમ ગુજરાતમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Related posts

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો