August 9, 2026
ગુજરાત

રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી તંત્ર એક્શનમાં, ઉપરકોટના કિલ્લામાંના 18 દબાણોનું ઓચિંતુ ડીમોલિશન, રાતભર ઓપરેશન

ઉપરકોટના કિલ્લામાં સને 1950 બાદ કરવામાં આવેલા તમામ પ્રકારના ધાર્મિક અને અન્ય દબાણો દૂર કરવા ગતમોડી રાત્રીના વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર સહિતની મશીનરીઓ વડે ડિમોલિશનની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી આ વાત જાહેર થતાં જ લઘુમતી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ ગયા હતા પરંતુ પોલીસે સમય સૂચકતા વાપરી સમગ્ર જુનાગઢ શહેર અને ઉપરકોટ વિસ્તારનો આસપાસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કોઈ વ્યક્તિ ઉપરકોટના કિલ્લામાં જઈ ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી માત્ર તંત્રના ઉચ્ચ અધિકારીઓ જ ઉપરકોટના કિલ્લામાં ડિમોલિશનની કામગીરી સમયે હાજર રહ્યા હતા કલેક્ટર એસપી આઈ.જી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જાતે જ આખી રાત હાજર રહ્યા હતા કુલ 18 જેટલા ધાર્મિક સહિતના વિવિધ દબાણો પર બુલડોઝર ફેરવી વહેલી સવારના ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી હતી રાત્રિના સમયે લઘુમતી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગણી હતી કે કયા કયા પ્રકારના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે ઉપરકોટ કિલ્લામાં અંદર જવાની મંજૂરી આપવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી

Related posts

પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે ‘સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

Ahmedabad Samay

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો