ઉપરકોટના કિલ્લામાં સને 1950 બાદ કરવામાં આવેલા તમામ પ્રકારના ધાર્મિક અને અન્ય દબાણો દૂર કરવા ગતમોડી રાત્રીના વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર સહિતની મશીનરીઓ વડે ડિમોલિશનની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી આ વાત જાહેર થતાં જ લઘુમતી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ ગયા હતા પરંતુ પોલીસે સમય સૂચકતા વાપરી સમગ્ર જુનાગઢ શહેર અને ઉપરકોટ વિસ્તારનો આસપાસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કોઈ વ્યક્તિ ઉપરકોટના કિલ્લામાં જઈ ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી માત્ર તંત્રના ઉચ્ચ અધિકારીઓ જ ઉપરકોટના કિલ્લામાં ડિમોલિશનની કામગીરી સમયે હાજર રહ્યા હતા કલેક્ટર એસપી આઈ.જી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જાતે જ આખી રાત હાજર રહ્યા હતા કુલ 18 જેટલા ધાર્મિક સહિતના વિવિધ દબાણો પર બુલડોઝર ફેરવી વહેલી સવારના ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી હતી રાત્રિના સમયે લઘુમતી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગણી હતી કે કયા કયા પ્રકારના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે ઉપરકોટ કિલ્લામાં અંદર જવાની મંજૂરી આપવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી
