May 8, 2026
ગુજરાત

રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી તંત્ર એક્શનમાં, ઉપરકોટના કિલ્લામાંના 18 દબાણોનું ઓચિંતુ ડીમોલિશન, રાતભર ઓપરેશન

ઉપરકોટના કિલ્લામાં સને 1950 બાદ કરવામાં આવેલા તમામ પ્રકારના ધાર્મિક અને અન્ય દબાણો દૂર કરવા ગતમોડી રાત્રીના વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર સહિતની મશીનરીઓ વડે ડિમોલિશનની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી આ વાત જાહેર થતાં જ લઘુમતી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ ગયા હતા પરંતુ પોલીસે સમય સૂચકતા વાપરી સમગ્ર જુનાગઢ શહેર અને ઉપરકોટ વિસ્તારનો આસપાસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કોઈ વ્યક્તિ ઉપરકોટના કિલ્લામાં જઈ ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી માત્ર તંત્રના ઉચ્ચ અધિકારીઓ જ ઉપરકોટના કિલ્લામાં ડિમોલિશનની કામગીરી સમયે હાજર રહ્યા હતા કલેક્ટર એસપી આઈ.જી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જાતે જ આખી રાત હાજર રહ્યા હતા કુલ 18 જેટલા ધાર્મિક સહિતના વિવિધ દબાણો પર બુલડોઝર ફેરવી વહેલી સવારના ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી હતી રાત્રિના સમયે લઘુમતી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગણી હતી કે કયા કયા પ્રકારના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે ઉપરકોટ કિલ્લામાં અંદર જવાની મંજૂરી આપવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી

Related posts

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો