May 8, 2026
ગુજરાત

રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી તંત્ર એક્શનમાં, ઉપરકોટના કિલ્લામાંના 18 દબાણોનું ઓચિંતુ ડીમોલિશન, રાતભર ઓપરેશન

ઉપરકોટના કિલ્લામાં સને 1950 બાદ કરવામાં આવેલા તમામ પ્રકારના ધાર્મિક અને અન્ય દબાણો દૂર કરવા ગતમોડી રાત્રીના વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર સહિતની મશીનરીઓ વડે ડિમોલિશનની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી આ વાત જાહેર થતાં જ લઘુમતી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ ગયા હતા પરંતુ પોલીસે સમય સૂચકતા વાપરી સમગ્ર જુનાગઢ શહેર અને ઉપરકોટ વિસ્તારનો આસપાસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કોઈ વ્યક્તિ ઉપરકોટના કિલ્લામાં જઈ ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી માત્ર તંત્રના ઉચ્ચ અધિકારીઓ જ ઉપરકોટના કિલ્લામાં ડિમોલિશનની કામગીરી સમયે હાજર રહ્યા હતા કલેક્ટર એસપી આઈ.જી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જાતે જ આખી રાત હાજર રહ્યા હતા કુલ 18 જેટલા ધાર્મિક સહિતના વિવિધ દબાણો પર બુલડોઝર ફેરવી વહેલી સવારના ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી હતી રાત્રિના સમયે લઘુમતી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગણી હતી કે કયા કયા પ્રકારના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે ઉપરકોટ કિલ્લામાં અંદર જવાની મંજૂરી આપવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો