September 11, 2026
ગુજરાત

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

જુનાગઢ રેલવે સ્ટેશન નજીક જોશીપરા રેલવે ફાટક સવારના સમયે બંધ કરવામાં આવતું હતું ત્યારે પસાર થઈ રહેલ રીક્ષા રેલવે ટ્રેકમાં ફસાઈ જતા થોડીવાર માટે સવ કોઈના શ્વાસ અધર ચડી ગયા હતા તાત્કાલિક હાજર લોકોએ મળી ફસાયેલ રિક્ષા ને હેમખેમ બહાર કાઢી હતી જેના કારણે જાનહાની ટડી છે પરંતુ આવું થવા પાછળ પણ બેદરકારી કોની છે તે અંગે તપાસ થવી જરૂરી છે હજુ બાલાસોર જેવી દુર્ઘટના ન બને તે માટે રેલ તંત્ર એ તકેદારી રાખવી જરૂરી બની છે જૂનાગઢના મધ્યમાં આવેલા ફાટક દરરોજ દિવસ દરમિયાન અનેક વખત બંધ થતા હોય છે ત્યારે વધુ એક વાર અટક બંધ થવાના સમયે આ રીતની ઘટના બનતા લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે છેલ્લા ઘણા સમયથી શહેરના મધ્યમાંથી પસાર થતી ટ્રેન ફાટક દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ફાટક બંધ કરવા સમયે કેટલાક લોકોને ફાટકમાં ફસાવવું ન પડે તે માટે આ રીતે ઉતાવળા પગલાં પણ ભરતા હોય છે જેને કારણે અકસ્માત સર્જવાની ભીતિ રહે છે

Related posts

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો