June 22, 2026
ગુજરાત

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જગન્નાથ મંદિર અને સરસપુરમાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે સાથે જ રાસ ગરબા અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે.

08 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં રથયાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 146મી રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી પૂર્વે આજે શહેરમાં જળયાત્રા યોજાશે, જેમાં લોકો પરંપરાગત પરિધાન અને શ્રદ્ધા સાથે જળયાત્રામાં જોડાયા છે. 108 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ આરતી પૂજા થશે. ત્યાર પછી ભગવાનને મોસાળ વળાવવામાં આવશે. ભગવાનના મોસાળમાં પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.  જણાવી દઈએ કે, આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ છે. લાંબી પ્રતિક્ષા બાદ યજમાન તરીકે તેમનું નામ આવતા તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન મામાના ઘરે જશે

ભગવાનની જળયાત્રામાં વાંચતે ગાજતે ભજન મંડળી અને રાસ મંડળીની સાથે ભગવાન સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચશે અને ત્યાં ગંગા પૂજન કરાશે. વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતી નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે, અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન પોતાના મામાના ઘરે જશે

Related posts

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

Ahmedabad Samay

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો