June 22, 2026
ગુજરાત

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જગન્નાથ મંદિર અને સરસપુરમાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે સાથે જ રાસ ગરબા અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે.

08 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં રથયાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 146મી રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી પૂર્વે આજે શહેરમાં જળયાત્રા યોજાશે, જેમાં લોકો પરંપરાગત પરિધાન અને શ્રદ્ધા સાથે જળયાત્રામાં જોડાયા છે. 108 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ આરતી પૂજા થશે. ત્યાર પછી ભગવાનને મોસાળ વળાવવામાં આવશે. ભગવાનના મોસાળમાં પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.  જણાવી દઈએ કે, આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ છે. લાંબી પ્રતિક્ષા બાદ યજમાન તરીકે તેમનું નામ આવતા તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન મામાના ઘરે જશે

ભગવાનની જળયાત્રામાં વાંચતે ગાજતે ભજન મંડળી અને રાસ મંડળીની સાથે ભગવાન સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચશે અને ત્યાં ગંગા પૂજન કરાશે. વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતી નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે, અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન પોતાના મામાના ઘરે જશે

Related posts

ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે આમ જનતા સાથે મનાવી ઉત્તરાયણ

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો