December 10, 2025
ગુજરાત

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જગન્નાથ મંદિર અને સરસપુરમાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે સાથે જ રાસ ગરબા અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે.

08 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં રથયાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 146મી રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી પૂર્વે આજે શહેરમાં જળયાત્રા યોજાશે, જેમાં લોકો પરંપરાગત પરિધાન અને શ્રદ્ધા સાથે જળયાત્રામાં જોડાયા છે. 108 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ આરતી પૂજા થશે. ત્યાર પછી ભગવાનને મોસાળ વળાવવામાં આવશે. ભગવાનના મોસાળમાં પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.  જણાવી દઈએ કે, આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ છે. લાંબી પ્રતિક્ષા બાદ યજમાન તરીકે તેમનું નામ આવતા તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન મામાના ઘરે જશે

ભગવાનની જળયાત્રામાં વાંચતે ગાજતે ભજન મંડળી અને રાસ મંડળીની સાથે ભગવાન સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચશે અને ત્યાં ગંગા પૂજન કરાશે. વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતી નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે, અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન પોતાના મામાના ઘરે જશે

Related posts

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો