May 9, 2026
રાજકારણ

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટણમાં જનસભાને સંબોધશે

આજથી 9 સાલ બે મિલાસની જનસભાની શરુઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી કરાવશે. ગુજરાતમાં તેમનો બે દિવસનો કાર્યક્રમ છે ત્યારે તેઓ પાટણમાં જનસભાને સંબોધશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં સીએમની જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આગામી 20 જૂન સુધી કેન્દ્રીય નેતાઓ અને દિગ્ગજોનો પ્રવાસો ગુજરાતમાં યોજવામાં આવશે. સપ્તાહ બાદ જેપી નડ્ડા ગુજરાતમાં આવશે.

  • 9 સાલ બે મિલાસની જનસભાની શરુઆત ગુજરાથી
  • આજે પાટણ શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી઼
  • ભૂપેન્દ્ર પટેલ બનાસકામાઠામાં આપશે હાજરી
  • આગામી સમયમાં પંચમહાલમાં જેપી નડ્ડાની જનસભા

2024 લોકસભાની ચૂંટણીને તેમજ મોદી સરકારના 9 વર્ષના કામોને લઈને અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. 26માંથી 26 બેઠકો સતત બે ટર્મથી આવી રહી છે ત્યારે ત્રીજી વખત પણ ભાજપ જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું આ હોમગ્રાઉન્ડ છે. અહીંના મતદારો ફરીથી 26માંથી 26 બેઠકો ભાજપને જીતાડે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે.

પાટણ લોકસભાથી આ શરુઆત થવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંસ સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ જનસભાનું આયોજન બનાસકાંઠામાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતથી આ શરુઆત કરવામાં આવી છે. તેમાં પણ પાટણ શહેર કે જ્યાં કોંગ્રેસની વિધાનસભાની બે ટર્મથી જીત થઈ રહી છે ત્યારે કોંગ્રેસના ગઢમાં બીજેપીએ આ શરુઆત 9 સાલ બે મિસાલની કરી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં તેમજ કેન્દ્રમાં થયેલા ડબલ એન્જિન સરકારના કામોને લઈને જનતા સમક્ષ યોજનાઓ, વિકાસકાર્યોને લગતા કામોને પહોંચાડવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયત્ન ફરી એકવાર વિધાનસભા બાદ લોકસભામાં પણ મોટી પાર્ટીઓ દ્વારા કરવામાં આવશે, ત્યારે આગામી દિવસોમાં પંચમહાલમાં જનસભાને સંબોધન બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવશે.

Related posts

કોંગ્રેસે કેટલીક બેઠકો પર AAP ને ભારે નુકસાન પહોંચાડ્યું

Ahmedabad Samay

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

“સોનાની ચમચી લઈને જન્મેલા…”: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

Ahmedabad Samay

આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ બ્રિગેડ પાંચ માનવોના જીવ બચાવ્યા

Ahmedabad Samay

૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો