March 25, 2026
રાજકારણ

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટણમાં જનસભાને સંબોધશે

આજથી 9 સાલ બે મિલાસની જનસભાની શરુઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી કરાવશે. ગુજરાતમાં તેમનો બે દિવસનો કાર્યક્રમ છે ત્યારે તેઓ પાટણમાં જનસભાને સંબોધશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં સીએમની જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આગામી 20 જૂન સુધી કેન્દ્રીય નેતાઓ અને દિગ્ગજોનો પ્રવાસો ગુજરાતમાં યોજવામાં આવશે. સપ્તાહ બાદ જેપી નડ્ડા ગુજરાતમાં આવશે.

  • 9 સાલ બે મિલાસની જનસભાની શરુઆત ગુજરાથી
  • આજે પાટણ શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી઼
  • ભૂપેન્દ્ર પટેલ બનાસકામાઠામાં આપશે હાજરી
  • આગામી સમયમાં પંચમહાલમાં જેપી નડ્ડાની જનસભા

2024 લોકસભાની ચૂંટણીને તેમજ મોદી સરકારના 9 વર્ષના કામોને લઈને અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. 26માંથી 26 બેઠકો સતત બે ટર્મથી આવી રહી છે ત્યારે ત્રીજી વખત પણ ભાજપ જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું આ હોમગ્રાઉન્ડ છે. અહીંના મતદારો ફરીથી 26માંથી 26 બેઠકો ભાજપને જીતાડે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે.

પાટણ લોકસભાથી આ શરુઆત થવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંસ સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ જનસભાનું આયોજન બનાસકાંઠામાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતથી આ શરુઆત કરવામાં આવી છે. તેમાં પણ પાટણ શહેર કે જ્યાં કોંગ્રેસની વિધાનસભાની બે ટર્મથી જીત થઈ રહી છે ત્યારે કોંગ્રેસના ગઢમાં બીજેપીએ આ શરુઆત 9 સાલ બે મિસાલની કરી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં તેમજ કેન્દ્રમાં થયેલા ડબલ એન્જિન સરકારના કામોને લઈને જનતા સમક્ષ યોજનાઓ, વિકાસકાર્યોને લગતા કામોને પહોંચાડવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયત્ન ફરી એકવાર વિધાનસભા બાદ લોકસભામાં પણ મોટી પાર્ટીઓ દ્વારા કરવામાં આવશે, ત્યારે આગામી દિવસોમાં પંચમહાલમાં જનસભાને સંબોધન બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવશે.

Related posts

રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં લડાયેલ અંદાજીત ૯૫ થી ૧૦૦ જેટલી ચૂંટણીઓમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

‘આઝાદી કા અમૃત કાલ’ માં ભારતને મહાન બનાવવા માટે પોતાને ભારત માતાને સમર્પિત કરો: અમિત શાહે બતાવી ‘તિરંગા યાત્રા’ને લીલી ઝંડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો