June 22, 2026
ગુજરાત

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જ્યાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી નથી કરવામાં આવી. જેથી GTUમાં ઈન્ચાર્જ પરીક્ષા નિયામકના  સહારે કામગિરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 6 વર્ષથી પરીક્ષા નિયામકની કાયમી નિમણૂક નથી કરવામાં આવી જેથી આ મામલે ગુજરાત એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ડીપ્લોમાં કોલેજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને કાયમી ભરતીની માગ પણ કરવામાં આવી છે.

તત્કાલિક પરીક્ષા નિયામકની નિમણૂકની માગ કરાઈ છે. જે માટે કુલપતિને પત્ર પણ લખવામાં આવ્યો છે. જીટીયુમાં કેટલીક કાયમી ભરતી ન હોવાથી ઈન્ચાર્જ નિમવામાં આવે છે. આ સાથે કાયમી ભરતી થાય તે જરુરી છે. પરીક્ષા પૂર્ણ થયાના એક મહિનામાં પરીણામ જાહેર કરવા માગ કરવામાં આવી છે.

પરીણામ બાદ 15 દિવસમાં માર્કશિપ મળે તેવી અપીલ કરવામાં આવી છે. રી ચેકિંગ રી એસેસમેન્ટનું પરીણામ સમયસર મળે તેવી માગ કરવામાં આવી છે.

ફિઝીકલ માર્કશિટ ન આવતા અનેક મુશ્કેલીઓ પડે છે. આ સિવાય ઘણા ઘણી મુશ્કેલીઓ પણ પડે છે. આ મામલે કાયમી નિમણૂકને લઈને જીટીયુને માગ કરવામાં આવી રહી છે.

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં ૭૬ લેપટોપની ચોરી

Ahmedabad Samay

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો