May 8, 2026
ગુજરાત

અમદાવાદમાં આગામી સમયમાં એક જ ટિકિટથી BRTS-AMTSની કરી શકાશે મુસાફરી

અમદાવાદમાં અત્યારે બીઆરટીએસ અને એએમટીએસ બન્નેની અલગ અલગ ટિકિટ છે પરંતુ આ બન્ને સિટી ટ્રાન્સપોર્ટ બસોમાં એક જ ટિકિટથી મુસાફરી કરી શકાય તેવું આયોજન એએમસી દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જે જગ્યા પર એટલે કેસ રુટ પર બીઆરટીએસ અને એએમટીએસ ચાલે છે ત્યાં સુધારો કરાશે. જરુર પડે ત્યાં જ બસો દોડાવવાની પણ યોજના છે.

અમદાવાદમાં એએમટીએસ સૌથી જૂની ટ્રાન્સપોર્ટ સર્વિસ છે તે છતાં મોટી કરોડોની ખોટ ખાઈને ચલાવવામાં આવે છે. ત્યારે એએમટીએસમાં મુસાફરો વધે તે રીતે કામગિરી કરવામાં આવશે. જેથી આગામી સમયમાં ઈન્ટીગ્રેશનની પ્રક્રીયા કરવામાં આવશે. જે માટે ત્રણ તબક્કામાં કામગિરી કરવામાં આવી રહી છે પ્રથમ તબક્કામાં બન્નેનું ભાડું એક સરખું કરાયં છે જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે આ ઉપરાંત ત્રીજા તબક્કામાં રુટ રેશનલાઈઝેશન કરવામાં આવશે આ ઉપરાંત ખર્ચ ઘટાડવા અને ફ્રીક્વન્સી ઓછી કરવા અને જ્યાં પેસેન્જર હોય ત્યાં જ બસ સેવાનો રુટ કાર્યરત રાખવામાં આવશે આમ આ દિશામાં કામગિરી કરવામાં આવશે.

અમદાવાદમાં બીઆરટીએ અને એએમટીએસને ઈન્ટીગ્રેટ થવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, તબક્કાવાર આ ફેરફાર કરવામાં આવતા ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કેટલો ફર્ક પડે છે કે કેટલી સુધરી શકે છે.

Related posts

અમદાવાદ – મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ

admin

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Ahmedabad Samay

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Ahmedabad Samay

રાવણનું દુઃખદ અવસાન,રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો