November 17, 2025
ગુજરાત

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાંથી અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના મિત્ર અમિત બહલે અભિનેતાના અવસાનના સમાચારની પુષ્ટિ કરી.

એકંદરે, પંકજના અચાનક અવસાનને ઉદ્યોગ માટે મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે. તેમનો પરિવાર અને મિત્રો ઊંડા શોકમાં છે, અને ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

CINTAA ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી પંકજ ધીરના અવસાનની વ્‍યાપક ચર્ચા થઈ રહી છે. તેમના અંતિમ સંસ્‍કાર આજે સાંજે ૪:૩૦ વાગ્‍યે પヘમિ મુંબઈના વિલે પાર્લે, પવન હંસ નજીક કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પંકજ કેન્‍સર સામે લડ્‍યા હતા અને તેમણે આ જંગ જીતી લીધો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેમનું કેન્‍સર પાછું આવ્‍યું. અભિનેતા ગંભીર સ્‍થિતિમાં હતા. બીમારીને કારણે તેમનું મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયો ન હતો. પંકજના મળત્‍યુના સમાચારથી સોશિયલ મીડિયા પર ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાં શોક ફેલાયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Related posts

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay

બાયકોટ ચાઈના ને પ્રોત્સાહન આપવા એમ.કે ચશ્માં ઘરની લોભામણી સ્કીમ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો