August 7, 2026
ગુજરાત

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાંથી અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના મિત્ર અમિત બહલે અભિનેતાના અવસાનના સમાચારની પુષ્ટિ કરી.

એકંદરે, પંકજના અચાનક અવસાનને ઉદ્યોગ માટે મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે. તેમનો પરિવાર અને મિત્રો ઊંડા શોકમાં છે, અને ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

CINTAA ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી પંકજ ધીરના અવસાનની વ્‍યાપક ચર્ચા થઈ રહી છે. તેમના અંતિમ સંસ્‍કાર આજે સાંજે ૪:૩૦ વાગ્‍યે પヘમિ મુંબઈના વિલે પાર્લે, પવન હંસ નજીક કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પંકજ કેન્‍સર સામે લડ્‍યા હતા અને તેમણે આ જંગ જીતી લીધો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેમનું કેન્‍સર પાછું આવ્‍યું. અભિનેતા ગંભીર સ્‍થિતિમાં હતા. બીમારીને કારણે તેમનું મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયો ન હતો. પંકજના મળત્‍યુના સમાચારથી સોશિયલ મીડિયા પર ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાં શોક ફેલાયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Related posts

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો