May 7, 2026
ગુજરાત

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાંથી અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના મિત્ર અમિત બહલે અભિનેતાના અવસાનના સમાચારની પુષ્ટિ કરી.

એકંદરે, પંકજના અચાનક અવસાનને ઉદ્યોગ માટે મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે. તેમનો પરિવાર અને મિત્રો ઊંડા શોકમાં છે, અને ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

CINTAA ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી પંકજ ધીરના અવસાનની વ્‍યાપક ચર્ચા થઈ રહી છે. તેમના અંતિમ સંસ્‍કાર આજે સાંજે ૪:૩૦ વાગ્‍યે પヘમિ મુંબઈના વિલે પાર્લે, પવન હંસ નજીક કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પંકજ કેન્‍સર સામે લડ્‍યા હતા અને તેમણે આ જંગ જીતી લીધો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેમનું કેન્‍સર પાછું આવ્‍યું. અભિનેતા ગંભીર સ્‍થિતિમાં હતા. બીમારીને કારણે તેમનું મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયો ન હતો. પંકજના મળત્‍યુના સમાચારથી સોશિયલ મીડિયા પર ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાં શોક ફેલાયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Related posts

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી સત્ય સુજલ મિશ્રા (સત્યેન્દ્રભાઈ)નું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

ગુજરાતમાં ધીમે ધીમે જામી રહેલો શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો