August 7, 2026
ગુજરાત

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાંથી અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના મિત્ર અમિત બહલે અભિનેતાના અવસાનના સમાચારની પુષ્ટિ કરી.

એકંદરે, પંકજના અચાનક અવસાનને ઉદ્યોગ માટે મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે. તેમનો પરિવાર અને મિત્રો ઊંડા શોકમાં છે, અને ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

CINTAA ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી પંકજ ધીરના અવસાનની વ્‍યાપક ચર્ચા થઈ રહી છે. તેમના અંતિમ સંસ્‍કાર આજે સાંજે ૪:૩૦ વાગ્‍યે પヘમિ મુંબઈના વિલે પાર્લે, પવન હંસ નજીક કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પંકજ કેન્‍સર સામે લડ્‍યા હતા અને તેમણે આ જંગ જીતી લીધો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેમનું કેન્‍સર પાછું આવ્‍યું. અભિનેતા ગંભીર સ્‍થિતિમાં હતા. બીમારીને કારણે તેમનું મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયો ન હતો. પંકજના મળત્‍યુના સમાચારથી સોશિયલ મીડિયા પર ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાં શોક ફેલાયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Related posts

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો